Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં મળશે વાઈન

રાજ્ય સરકાર દ્વારા કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Big News : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે કરિયાણાની દુકાન અને સુપર માર્કેટમાં મળશે વાઈન
Wine (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:46 PM

Maharashtra: રાજ્ય સરકારે (Maharashtra Government) આજે એક મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં કરિયાણાની દુકાનો અને સુપરમાર્કેટમાં વાઇન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સુપરમાર્કેટ એક હજાર ચોરસ ફૂટથી વધુ મોટી છે. ત્યાં સ્ટોલ ઉભા કરીને વાઇન વેચાણની (Wine) મંજૂરી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ દસ વર્ષ પહેલાનો પ્રસ્તાવ છે. જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો હતો.

NCP નેતા નવાબ મલિકે ભાજપની આકરી ટીકા કરી

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NCP નેતા નવાબ મલિકે(Nawab Malik)  જણાવ્યું હતુ કે, આજે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે તેમણે વાઈન શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરનાર ભાજપની પણ આકરી ટીકા કરી હતી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની (Cabinet Committee) બેઠક મળી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ એનસીપી નેતા નવાબ મલિકે મીડિયા સાથે વાતચીત કરતા આ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા સુપરમાર્કેટમાં વાઇનના વેચાણને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવાબ મલિકે જણાવ્યુ હતુ કે 1,000 ચોરસ ફૂટ સુધીના સુપરમાર્કેટમાં વાઇન વેચાણની મંજૂરી આપવામાં આવશે.

Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?

ખેડૂતોના ઉત્પાદનને વેગ મળશે

વધુમાં મલિકે કહ્યુ કે, રાજ્યમાં વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર ચાલે છે. આ નિર્ણય ખેડુતોના હિતમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુપરમાર્કેટમાં એક સ્ટોલ શોકેસ બનવા જઈ રહ્યો છે. ભાજપ ગોવા અને હિમાચલમાં પણ આ જ નીતિ અમલમાં છે. તેમના શાસન હેઠળના ઘણા રાજ્યોમાં ભાજપે દારૂ વેચવાની નીતિ અપનાવી છે. જો કે, અહીં તેઓ વિરોધ કરી રહ્યા છે.

નવી શૈક્ષણિક નીતિ પર ચર્ચા

ઉપરાંત આ કેબિનેટમાં નવી શિક્ષણ નીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. માશેલકર કમિટીએ આ અહેવાલ આપ્યો હતો. તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં શિક્ષણ પ્રણાલીને પાંચ વિભાગમાં વહેંચવામાં આવી છે. હવે કેબિનેટ જૂથની રચના કરવામાં આવશે અને ભલામણોના આધારે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">