AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં

મહારાષ્ટ્ર કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. નાસિક જિલ્લામાં આવેલા માલેગાંવ શહેરના 28 કાઉન્સિલરો આજે NCPમાં જોડાયા છે.

Maharashtra : કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, માલેગાંવ શહેરના મેયર સહિત 28 કાઉન્સિલરો જોડાયા NCPમાં
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:15 PM
Share

Maharashtra : મહારાષ્ટ્ર કોર્પોરેશનની ચૂંટણી (Maharashtra Corporation Election) પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. માલેગાંવ શહેરના 28 કાઉન્સિલરોએ આજે કોંગ્રેસ (Congress) સાથેનો છેડો ફાડીને તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા છે. કોંગ્રેસ છોડીને NCPમાં જોડાનારાઓમાં મેયર તાયરા શેખ રશીદ અને તેમના પતિ શેખ રશીદ મુખ્ય ચહેરા છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો !

તમને જણાવી દઈએ કે, મેયર તાયરા શેખ રાશિદના પતિ શેખ રાશિદ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ, નાસિકના પાલક મંત્રી છગન ભુજબલ, એનસીપીના પ્રવક્તા નવાબ મલિક(Nawab Malik)  અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં મેયર તાયરા શેખ રશીદની હાજરીમાં 28 કાઉન્સિલરો આજે એનસીપીમાં જોડાયા હતા.

મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ અને એનસીપી સાથે હોવા છતાં, તેમના પક્ષના વિસ્તરણને લઈને બંને પક્ષો વચ્ચે હાલ લડાઈ ચાલી રહી છે. માલેગાંવમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા, એનસીપીએ મેયર સહિત 28 કોર્પોરેટરોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં NCPની આ સર્જિકલ સ્ટ્રાઈકથી માલેગાંવ કોંગ્રેસમાં નાસભાગ મચી ગઈ છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદે પાર્ટી લગાવ્યા આરોપ

તમને જણાવી દઈએ કે માલેગાંવમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદ શેખની પત્ની મેયર તાહિરા શેખ સહિત 28 કાઉન્સિલરોએ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાવાની જાહેરાત કરી છે. આ સાથે જ રશીદ શેખે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે શહેરના વિકાસ માટે અમે સૌ સાથે મળીને કામ કરવા માગીએ છીએ, પરંતુ મહેસૂલ મંત્રી બાળાસાહેબ થોરાટ સિવાય અમને કોઈ મંત્રી તરફથી સહકાર મળ્યો નથી.

આસિફ શેખ પણ NCPમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની આઘાડી સરકારમાં ઉર્જા વિભાગ કોંગ્રેસ પાસે છે. છતાં, છેલ્લા બે વર્ષથી માલેગાંવમાં પાવર સિસ્ટમના વિકાસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ દરમિયાન રાશિદે કહ્યુ કે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. તમને જણાવવુ રહ્યુ કે, છેલ્લા 6 મહિનામાં રાશિદના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય આસિફ શેખ પણ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા. ત્યારે હાલ મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો : Mumbai : ટીપુ સુલતાન પરના વિવાદને લઈને ભાજપ વિરોધમાં ઉતર્યું, જાણો શું છે સમગ્ર મામલો ?

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">