Maharashtra : મહીલા વકિલે માંગ્યુ ‘નો કાસ્ટ, નો રિલિજિયન સર્ટિફિકેટ’, આપ્યુ આ કારણ

મહારાષ્ટ્રની (Maharashtra) મહિલા વકીલ પ્રીતિ શાહે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે 'નો કાસ્ટ, નો રિલિજિયન' પ્રમાણપત્રની માંગણી કરી છે. વર્ષ 2019 માં, તમિલનાડુના વેલ્લોર જિલ્લાની રહેવાસી સ્નેહા પ્રથિબરાજા, 'નો કાસ્ટ, નો રિલિજિયન' પ્રમાણપત્ર મેળવનારી દેશની પ્રથમ મહિલા બની હતી.

Maharashtra : મહીલા વકિલે માંગ્યુ 'નો કાસ્ટ, નો રિલિજિયન સર્ટિફિકેટ', આપ્યુ આ કારણ
No Caste NO Religion Certificate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 12:58 PM

આજે એકવીસમી સદીમાં પણ ધર્મના નામે ઝઘડા થતા જોવા મળે છે. પરંતુ આજે ઘણા એવા લોકો છે જે જાતિ, ધર્મ વગેરેથી ઉપર ઉઠીને માનવતાને પ્રથમ મહત્વ આપે છે. આવો જ એક દાખલો મહારાષ્ટ્રમાં (Maharashtra) જોવા મળ્યો છે. મહારાષ્ટ્રની એક મહીલા વકિલે જીલ્લા મેજીસ્ટ્રેટ પાસે નો કાસ્ટ, નો રિલિજિયન સર્ટીફિકેટની (No caste, no religion certificate) માંગણી કરી છે. તેમનું કહેવું છે કે, તેમણે ડૉ. બાબા સાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરણા મેળવીને આ નિર્ણય લીધો છે. તેમજ સમાજને સમાનતાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મહિલા વકીલ પ્રીતિ શાહે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્રની માંગણી કરી છે. મહિલા વકીલ પ્રીતિ શાહ કહે છે કે તે સમાજમાં ફેલાયેલા ભેદભાવથી ખૂબ જ દુઃખી છે, તેથી તેણે જાતિ અને ધર્મથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે. મહીલા વકિલે જણાવ્યુ હતું કે, તેમણે સૌપ્રથમ જિલ્લા કલેક્ટર અજય ગુલ્હાનેને પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. જો કે, આ પ્રકારનું પ્રમાણપત્ર આપવાની જોગવાઈ વહીવટી સ્તરે છે કે કેમ તે ચકાસવા માટે તેમણે 15 દિવસનો સમય માંગ્યો છે.

પ્રીતિ શાહનું કહેવું છે કે ભવિષ્યમાં તેમણે કોઈપણ સર્ટિફિકેટમાં જાતિ અને ધર્મનો ઉલ્લેખ કરવો નથી. તે ભારતીય બનવા માંગે છે. તેથી તેમને ‘નો કાસ્ટ, નો રિલિજિયન’નું પ્રમાણપત્ર આપવું જોઈએ. અગાઉ, તમિલનાડુના વેલ્લોર જિલ્લાની રહેવાસી સ્નેહા ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ મહિલા બની હતી. તેમને આ પ્રમાણપત્ર 5 ફેબ્રુઆરી 2019ના રોજ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ રાજ્યના મહિલા વકીલ એમ. એ. સ્નેહાએ લાંબો સંઘર્ષ કર્યો હતો. તેણે નવ વર્ષ સુધી કોર્ટની લડાઈ લડી. બંધારણના અનુચ્છેદ હેઠળ આવું પ્રમાણપત્ર જાહેર કરી શકાય તે અંગે અદાલતે આખરે સંમતિ દર્શાવી અને આખરે તેમને પ્રમાણપત્ર મળ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ગુજરાતમાં પણ આ મહીલાએ કરી સર્ટીફીકેટની માંગણી

આ સિવાય ગુજરાતના સુરત શહેરની એક બ્રાહ્મણ મહિલાએ ‘નો કાસ્ટ નો રિલિજિયન સર્ટિફિકેટ’ની માગણી સાથે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કાજલ ગોવિંદભાઈ મંજુલા (36)એ તેના વકીલ ધર્મેશ ગુર્જર મારફત કોર્ટમાં અરજી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટના સ્નેહા પ્રતિબરાજા કેસની તર્જ પર તેમને પણ ‘નો કાસ્ટ, નો રિલિજિયન’નું પ્રમાણપત્ર આપવામાં આવે.

Latest News Updates

મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
મતદાન જાગૃતિની સાયકલ રેલી દરમિયાન વરસાદ વરસ્યો
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
g clip-path="url(#clip0_868_265)">