AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ

કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:40 PM
Share

Sameer Wankhede Case: સમીર વાનખેડેને મોટી રાહત મળી છે, જ્યારે નવાબ મલિકને (Nawab Malik) મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (National Commission for Scheduled Castes)એ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) મહાર જાતિના ગણાવ્યા છે અને તેમની સામેની SIT રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય NCSCએ મુંબઈ પોલીસને NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. ત્યારે હાલ આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના મુખ્ય સચિવ, મુંબઈ પોલીસ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યુ છે અને 7મી માર્ચે કમિશન સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

કમિશને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે (Mumbai Police) આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે. આવી સ્થિતિમાં કમિશને મુંબઈ પોલીસને તાત્કાલિક SITની તપાસ રોકવા અને નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કમિશને આ મામલાની તપાસ ACP સ્તરના અધિકારી દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ મુંબઈ પોલીસને એક્શન ટેકન રિપોર્ટ (ATR)ની સાથે FIRની નકલ કમિશન સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

સમીર વાનખેડે સામેની SIT તપાસ રદ કરવામાં આવી

કમિશનના આદેશમાં સમીર વાનખેડે સામેની SIT તપાસને તાત્કાલિક રદ કરવાનું કહેવામાં આવ્યુ છે, કારણ કે SC/ST POA એક્ટ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા SITની સ્થાપના અને પ્રાથમિક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી. પંચે આ મામલામાં મુંબઈ પોલીસને તપાસના નામે સમીર વાનખેડેને હેરાન કરવાનું બંધ કરવાની ચેતવણી આપી છે. કમિશને મહારાષ્ટ્ર કાસ્ટ સ્ક્રુટિની કમિટીને વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણીનું કામ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

Follow Us
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">