AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: થાણે જિલ્લા મેજિસ્ટ્રેટે સમીર વાનખેડેના હોટેલ અને બારનું લાઇસન્સ કર્યું રદ

આર્યન ખાન ડ્રગ્સ કેસથી ચર્ચીત NCB મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) મોટો ઝટકો લાગ્યો છે.

Maharashtra: થાણે જિલ્લા મેજિસ્ટ્રેટે સમીર વાનખેડેના હોટેલ અને બારનું લાઇસન્સ કર્યું રદ
Sameer Wankhede (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 2:30 PM
Share

આર્યન ખાન ડ્રગ્સ કેસથી ચર્ચીત NCB મુંબઈના (NCB Mumbai) ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને (Sameer Wankhede) મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લા કલેક્ટરે નવી મુંબઈ સ્થિત તેમના બાર અને રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ કરી દીધું છે. આરોપ છે કે, સમીર વાનખેડેની ઉંમર વિશે ખોટી માહિતી આપીને સદગુરુ રેસ્ટોરન્ટ એન્ડ બારનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું. આ હોટલ અને બાર માટે લાયસન્સ અરજી 1997માં આપવામાં આવી હતી. થાણે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકરે મહારાષ્ટ્ર પ્રોહિબિટરી એક્ટની કલમ 54 હેઠળ આ કાર્યવાહી કરી છે. આ કેસમાં રાજ્યના આબકારી વિભાગે સમીર વાનખેડેને કારણ બતાવો નોટિસ મોકલી હતી.

સમીર વાનખેડેએ લાયસન્સ માટે અરજી કરી ત્યારે તે સગીર હતો. તેની ઉંમર 17 વર્ષની હતી. આવી સ્થિતિમાં, તેઓ બારના લાયસન્સ માટે કેવી રીતે અરજી કરી શકે તે પ્રશ્ન પણ એનસીપી નેતા અને મંત્રી નવાબ મલિક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. હવે થાણે કલેકટરે આ અંગે કાર્યવાહી કરી છે. રાજેશ નાર્વેકરે આ મામલામાં 6 પાનાનો આદેશ આપીને લાઇસન્સ રદ કર્યું છે.

સમીર વાનખેડેના નામના બારનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું

ફક્ત 21 વર્ષ કે, તેથી વધુ ઉંમરના લોકોને જ બાર માટે લાઇસન્સ મેળવવાની મંજૂરી આપી શકાય છે. પરંતુ જ્યારે સમીર વાનખેડેના નામે બારનું લાઇસન્સ લેવામાં આવ્યું ત્યારે તેની ઉંમર તેનાથી ઓછી હતી. સમીર વાનખેડેના નામે 27 ઓક્ટોબર 1997ના રોજ બારનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. તે સમયે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે એક્સાઈઝ ડ્યુટી વિભાગમાં નોકરી કરતા હતા. આ સંદર્ભે, સમીર વાનખેડેને કારણ બતાવો નોટિસ મોકલીને પૂછવામાં આવ્યું હતું કે ખોટા દસ્તાવેજો સબમિટ કરવાને કારણે તમારા નામનું આ લાઇસન્સ કેમ રદ કરવામાં ન આવે.

શું સમીર વાનખેડે સાથે બદલો લેવામાં આવ્યો છે?

સમીર વાનખેડેના કેસમાં અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગે મુંબઈ પોલીસને નવાબ મલિક વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. આ દાવો એક દિવસ પહેલા ભાજપના નેતા મોહિત કંબોજે કર્યો હતો. નવાબ મલિકે સમીર વાનખેડેને મુસ્લિમ ગણાવીને તેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે આના કારણે સમીર વાનખેડે સામે કાર્યવાહી નથી થઈ? સમીર વાનખેડે બાર લાયસન્સ કેસમાં દોષિત હોઈ શકે છે, પરંતુ કાર્યવાહીનો સમય શંકાસ્પદ છે.

બીજી મહત્વની બાબત એ છે કે, અધિકારી પગલાં લે છે. થાણે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકર શિવસેના સાંસદ સંજય રાઉતના સંબંધી છે. રાઉતની પુત્રીના લગ્ન રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે થયા છે. શિવસેના અને NCP મહા વિકાસ આઘાડી સરકારમાં એકબીજાના સાથી છે. નવાબ મલિક કોઈપણ રીતે આરોપ લગાવી રહ્યા છે કે, સમીર વાનખેડે ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. એટલે કે રાજકીય કારણોસર આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: NLC India Ltd Recruitment 2022: સ્નાતકો માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી, અરજી પ્રક્રિયા આજથી શરૂ

આ પણ વાંચો: Budget 2022: બજેટમાં ડિજિટલ યુનિવર્સિટી અને 60 લાખ નવી નોકરીઓનું વચન આપવામાં આવ્યું છે, જુઓ કેવી છે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">