AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : “મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે”, અમિત શાહને કરીશ ફરિયાદ, નવાબ મલિકનો ગંભીર આરોપ

તપાસ એજન્સીઓ રાજ્યમાં અનિલ દેશમુખની (Anil Deshmukh) ભરમાર ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. સાથે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે.

Maharashtra : મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે, અમિત શાહને કરીશ ફરિયાદ, નવાબ મલિકનો ગંભીર આરોપ
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 5:14 PM
Share

Maharashtra : NCP નેતા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik) કેન્દ્રીય તપાસ એજન્સીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદો દાખલ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે પણ આ જ રમત રમવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

નવાબ મલિકનો ગંભીર આરોપ

એજન્સીઓ રાજ્યમાં અનિલ દેશમુખની (Anil Deshmukh) ભરમાર ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યુ છે. સાથે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેના પુરાવા હોવાનો પણ દાવો કર્યો હતો.વધુમાં નવાબ મલિકે કહ્યું, આર્યન ખાન ડ્રગ્સ કેસની છેતરપિંડી સામે મેં અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારથી મારા અને મારા પરિવાર પર નજર રાખવામાં આવી રહી છે. આ જાસૂસોનો અમારા શુભેચ્છકોએ પીછો કર્યો હતો. પરંતુ તેઓ ભાગી ગયા હતા. મને આમાંના એક શંકાસ્પદ વિશે જાણવા મળ્યું છે. તે સોશિયલ મીડિયામાં મારી વિરુદ્ધ પોસ્ટ કરે છે. તે ભાજપ સાથે સંબંધિત હોવાની માહિતી મળી રહી છે.

ખોટી ફરિયાદ નોંધાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ

આ દરમિયાન નવાબ મલિકે કહ્યું, “જે રીતે ખોટી ફરિયાદ નોંધીને અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તે જ મારી સાથે કરવામાં આવી રહ્યું છે. જો કોઈ એવું વિચારે છે કે આનાથી મને ડર લાગશે તો તે તેની ગેરસમજ છે. મને આ ષડયંત્રના પુરાવા મળ્યા છે. કેન્દ્રીય અધિકારીઓ (Central Officers) મારી વિરુદ્ધ ડ્રાફ્ટ તૈયાર કરીને મોકલી રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

ઉપરાંત તેમણે દાવો કર્યો કે, મારી પાસે કેન્દ્રીય અધિકારીઓની વોટ્સએપ ચેટ છે. હું મુંબઈ પોલીસ કમિશનરને આ માહિતી આપીશ અને સંપૂર્ણ તપાસની માંગ કરીશ. આ અંગે હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને (Amit Shah) પણ પત્ર લખવાનો છું. જો તેમના અધિકારીઓ આ પ્રકારનું કામ કરતા હોય તો તેઓ શું પગલાં લે છે, તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : PM મોદીએ અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની સમીક્ષા કરો’, વાંચો નવા કોવિડ વેરિઅન્ટ પર 2 કલાકની બેઠકમાં શું થયું

આ પણ વાંચો : શું આવતા વર્ષે શરૂ થશે ‘ગગનયાન’ મિશન? કેન્દ્રીય રાજ્ય અવકાશ મંત્રીએ આપ્યુ મોટુ નિવેદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">