Maharashtra : નવા પોલીસ કમિશનરે ભજન પરનો પ્રતિબંધ રદ કર્યો, શું અટકશે લાઉડ સ્પીકર વિવાદ ?

નાસિકના(Nasik) ભુતપુર્વ પોલીસ કમિશનર દીપક પાંડેએ આદેશ જાહેર કર્યો હતો કે અઝાનની (Azaan) 15 મિનિટ પહેલાં અને પછી 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ વ્યક્તિ લાઉડસ્પીકર પર ભજન કરી શકશે નહીં.

Maharashtra : નવા પોલીસ કમિશનરે ભજન પરનો પ્રતિબંધ રદ કર્યો, શું અટકશે લાઉડ સ્પીકર વિવાદ ?
Loudspeaker Controversy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 2:28 PM

નાસિકના ભૂતપૂર્વ પોલીસ કમિશનર દીપક પાંડેએ (Nasik Police Commissioner)  લાઉડસ્પીકર અંગે આપેલા આદેશને નવા પોલીસ કમિશનર જયંત નાયકનવરેએ રદ કરી દીધો છે. દીપક પાંડેએ આદેશ આપ્યો હતો કે અઝાન પછી 15 મિનિટ અને તેની 15 મિનિટ પહેલાં 100 મીટરની ત્રિજ્યામાં કોઈ લાઉડસ્પીકર પર ભજન ન ગાઈ શકે. આ સાથે તમામને લાઉડસ્પીકરના (Loudspeaker) ઉપયોગ માટે 3 મે પહેલા પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું હતું અને જો કોઈ આમ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દીપક પાંડેના આ આદેશ બાદ તેમની બદલી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, પૂર્વ નાસિક (Nasik) પોલીસ કમિશનરે 3 મે સુધી તમામ ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી મેળવવાનો આદેશ જાહેર કર્યો હતો. આદેશ અનુસાર, જો ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવવાના હોય તો તેના માટે પોલીસની પરવાનગી લેવી પડશે. જો 3 મે સુધી પોલીસ પાસેથી પરવાનગી નહીં લેવામાં આવે તો પછી ધાર્મિક સ્થળ પર લાઉડ સ્પીકર લગાવવામાં આવશે તો પોલીસ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ ઠાકરેની ચેતવણી બાદ વિવાદ શરૂ થયો હતો

નાસિકના પૂર્વ કમિશનર દીપક પાંડેએ(Deepak Pandey)  કહ્યું છે કે હનુમાન ચાલીસા અથવા ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના 100 મીટરની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશનો હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. ઉલ્લખનીય છે કે, 2 એપ્રિલે, મુંબઈના દાદરમાં શિવાજી પાર્કમાં તેમના ભાષણમાં, રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તેમની પાર્ટીના કાર્યકરો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વિવાદ વધુ વણસ્યો

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે કહ્યું છે કે રાજ્ય પોલીસ અને મુંબઈ કમિશનર બેસીને નિર્ણય કરશે અને લાઉડસ્પીકર અંગેની માર્ગદર્શિકા નક્કી કરશે. આ પરિસ્થિતિને સંભાળવા માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવી હતી. બીજી તરફ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેતા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

મમતા બેનર્જીએ PM નરેન્દ્ર મોદી પર કર્યો પ્રહાર, કહ્યું- PMનું નિવેદન એકતરફી અને દુર્ભાગ્યપૂર્ણ, કિંમત ઘટાડવા કરી માંગ

આ પણ વાંચોઃ

VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">