Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે

બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સંબંધિત કેસમાં આજે (25 ઓગસ્ટ, બુધવાર) સુનાવણી યોજાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને નારાયણ રાણે સામે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.

Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે
નારાયણ રાણે (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 5:48 PM

બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Union Minister Narayan Rane) સંબંધિત કેસમાં સુનાવણી ચાલી રહી છે. નારાયણ રાણેએ તેમની સામેનો કેસ રદ કરવા અરજી કરી છે. રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવાનું વાંધાજનક નિવેદન આપ્યું હતું.

મહાડમાં આપેલા નિવેદન પર ગઈકાલે (મંગળવાર, 24 ઓગસ્ટ) રત્નાગીરી પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ પછી તેમને મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા અને તેમને મહાડ કોર્ટમાં રજૂ કરવામા આવ્યા. મોડી રાત્રે મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટે તેમની જામીન અરજી સ્વીકારી હતી. આજે બોમ્બે હાઈકોર્ટ તેમની વિરુદ્ધ કેસ રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સંબંધિત કેસમાં આજે (25 ઓગસ્ટ, બુધવાર) સુનાવણી યોજાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને નારાયણ રાણે સામે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. જોકે પૂણે પોલીસ દ્વારા નોંધાયેલા કેસ અંગે કોર્ટે કંઈ કહ્યું નથી. આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

રાણે વિરુદ્ધ પૂણે નાસિક, થાણે અને મહાડમાં ચાર કેસ નોંધાયેલા છે. રાણે વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને રદ કરવાની અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટમાં આજે આ અંગે સુનાવણી કરી હતી. જેમાં નારાયણ રાણેને રાહત આપવામાં આવી છે. બુધવારે સવારે વકીલોની ટીમ નારાયણ રાણેના ઘરેથી નીકળી હતી.  વકીલ અનિકેત નિકમની ટીમે જરૂરી કાગળ અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને સુનાવણી માટે કોર્ટ પહોંચી હતી.

આ રીતે મહાડ કોર્ટમાં જામીન મંજૂર કરાયા

અગાઉ ગઈકાલે નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવ્યા બાદ મહાડ પોલીસે તેમને મહાડ કોર્ટમાં રજૂ કર્યા હતા. 45 મિનિટથી એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ મહાડ કોર્ટે નારાયણ રાણેને જામીન આપ્યા હતા. તેમને રૂ .15,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે મહાડ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી હતી.

કોર્ટે કહ્યું કે આ દરમિયાન નારાયણ રાણેનો ઓડિયો સેમ્પલ લેવામાં આવશે. પરંતુ જો અવાજનો નમૂનો લેવો હોય તો રાણેને 7 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવશે. આ શરત પણ મુકવામાં આવી છે કે નારાયણ રાણેએ રાયગઢ ક્રાઈમ બ્રાંચમાં બે દિવસ (30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બર) હાજર રહેવું પડશે.

ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરે તેવી ચેતવણી સાથે રાણેને જામીન આપવામાં આવ્યા હતા. અગાઉ કોર્ટે 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગણી પણ ફગાવી દીધી હતી અને રાણેને રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. જામીન મળ્યા બાદ નારાયણ રાણે મહાડથી મુંબઈમાં તેમના જુહુમાં આવેલા નિવાસસ્થાન તરફ નીકળ્યા હતા.

બંને પક્ષોના વકીલોએ જામીન પૂર્વેની દલીલોમાં શું કહ્યું?

મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન પૂર્વેની દલીલમાં સરકારી વકીલ ભૂષણ સાલવી અને રાણેના વકીલ રાજેન્દ્ર શિરોડકર વચ્ચે ધારદાર દલીલ થઈ હતી. સરકારી વકીલે નારાયણ રાણેના નિવેદનને ખૂબ જ ગંભીર ગણાવ્યું અને 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગને પુનરાવર્તિત કરી. સરકારી વકીલે કહ્યું કે રાણેના નિવેદનમાં મુખ્યમંત્રીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેના નિવેદન બાદ ઘણા નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. રાણેની ધરપકડ કરતા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, જે કલમો હેઠળ નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. તે પણ ખોટું છે અને રાજકીય હેતુઓથી પ્રેરિત છે.

રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેએ જે પણ નિવેદન આપ્યું તે જાહેર સ્થળે આપવામાં આવ્યું હતું અને સામાન્ય ભાષામાં આવા વાક્યો વારંવાર કહેવામાં આવે છે. આવા કિસ્સામાં કસ્ટડીની શું જરૂર છે? રાણેના સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાણેના વકીલે જામીન આપવાની અપીલ પણ કરી હતી. કોર્ટે રાણેના વકીલની દલીલો સ્વીકારી અને નારાયણ રાણેને જામીન આપ્યા.

આ પણ વાંચો : શું અનિલ પરબે પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો ? જુઓ Video

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">