Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા

કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ફડણવીસે કહ્યું કે, સંઘર્ષ ચાલુ રહેશે. સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા
Devendra Fadnavis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 5:44 PM

બુધવારે ભાજપે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આઝાદ મેદાનથી મેટ્રો સર્કલ સુધી મુંબઈમાં વિરાટ મોરચો (BJP Protest Morcha in Mumbai) કાઢ્યો હતો. ભાજપ મહા વિકાસ સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના રાજીનામાની માંગ કરી રહી છે. સેંકડોની સંખ્યામાં તૈનાત મુંબઈ પોલીસે મેટ્રો સિનેમા પાસે મોરચો રોક્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરોને શાંત રહેવા કહ્યું. પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકરો વિધાનસભા ભવન સુધી જવા માટે મક્કમ હતા. આના પર મુંબઈ પોલીસે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, આશિષ શેલાર અને મોરચાનું નેતૃત્વ કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  સહિત અન્ય નેતાઓની અટકાયત કરી હતી. મુંબઈ ભાજપ પ્રમુખ મંગલ પ્રભાત લોઢા, નિતેશ રાણે, પ્રસાદ લાડ, કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકર જેવા ઘણા મોટા નેતાઓએ મોરચામાં ભાગ લીધો હતો.

આ પછી પોલીસે બીજેપી કાર્યકર્તાઓને સ્થળ પરથી જવાનું કહ્યું અને તેમને સ્થળ પર બેરિકેડ કરી આગળ વધતા રોક્યા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભાજપના કાર્યકરોને પોલીસને સહકાર આપવા અને બળજબરી ન કરવા અપીલ કરી હતી. આ પછી અટકાયત કરાયેલા નેતાઓને યલો ગેટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા આગેવાનોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ નેતાઓને એક કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા છોડી દેવાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પોલીસ સ્ટેશનની બહાર ઊભેલા પત્રકારોને કહ્યું કે જ્યાં સુધી નવાબ મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી ભાજપ પાર્ટીનો સંઘર્ષ ચાલુ રહેશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

એક કલાક પછી ફડણવીસને છોડવામાં આવ્યા, કહ્યું- જ્યાં સુધી મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે

ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

દેવેન્દ્ર ફડણવીસે કસ્ટડીમાં લીધા પહેલા મોરચામાં સામેલ કાર્યકરોને સંબોધતા કહ્યું કે અનિલ દેશમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, સંજય રાઠોડનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો પછી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત વ્યક્તિનું રાજીનામું કેમ સ્વીકારવામાં નથી આવી રહ્યું. શું આ સરકાર દાઉદની સૂચના પર ચાલે છે? આ મોરચામાં સામેલ પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદ ઉમેરતા જણાવ્યું હતું કે, ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે. નવાબ મલિકના રાજીનામા સુધી આ આગ ઓલવાશે નહીં. હવે આ આગ ભડકશે. આ આગમાં જેમણે આતંકવાદીઓને મદદ કરી હતી તેઓ બળીને રાખ થઈ જશે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યે કોર્ટમાં દાખલ કરી પીઆઈએલ, કોર્ટે આ કારણ આપીને લગાવી ફટકાર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">