AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા

કસ્ટડીમાંથી મુક્ત થયા બાદ ફડણવીસે કહ્યું કે, સંઘર્ષ ચાલુ રહેશે. સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

Maharashtra: ફડણવીસ સહિત ભાજપના નેતાઓની અટકાયત, નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મુંબઈમાં મોરચો કાઢી રહ્યા હતા
Devendra Fadnavis
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 5:44 PM
Share

બુધવારે ભાજપે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આઝાદ મેદાનથી મેટ્રો સર્કલ સુધી મુંબઈમાં વિરાટ મોરચો (BJP Protest Morcha in Mumbai) કાઢ્યો હતો. ભાજપ મહા વિકાસ સરકારમાં મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકના રાજીનામાની માંગ કરી રહી છે. સેંકડોની સંખ્યામાં તૈનાત મુંબઈ પોલીસે મેટ્રો સિનેમા પાસે મોરચો રોક્યો અને ભાજપના નેતાઓ અને કાર્યકરોને શાંત રહેવા કહ્યું. પરંતુ ભાજપના નેતાઓ અને કાર્યકરો વિધાનસભા ભવન સુધી જવા માટે મક્કમ હતા. આના પર મુંબઈ પોલીસે પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, વિધાન પરિષદમાં વિપક્ષી નેતા પ્રવીણ દરેકર, આશિષ શેલાર અને મોરચાનું નેતૃત્વ કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  સહિત અન્ય નેતાઓની અટકાયત કરી હતી. મુંબઈ ભાજપ પ્રમુખ મંગલ પ્રભાત લોઢા, નિતેશ રાણે, પ્રસાદ લાડ, કિરીટ સોમૈયા અને અતુલ ભાટખાલકર જેવા ઘણા મોટા નેતાઓએ મોરચામાં ભાગ લીધો હતો.

આ પછી પોલીસે બીજેપી કાર્યકર્તાઓને સ્થળ પરથી જવાનું કહ્યું અને તેમને સ્થળ પર બેરિકેડ કરી આગળ વધતા રોક્યા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે પણ ભાજપના કાર્યકરોને પોલીસને સહકાર આપવા અને બળજબરી ન કરવા અપીલ કરી હતી. આ પછી અટકાયત કરાયેલા નેતાઓને યલો ગેટ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાયેલા આગેવાનોએ સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ નેતાઓને એક કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા છોડી દેવાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે પોલીસ સ્ટેશનની બહાર ઊભેલા પત્રકારોને કહ્યું કે જ્યાં સુધી નવાબ મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી ભાજપ પાર્ટીનો સંઘર્ષ ચાલુ રહેશે.

એક કલાક પછી ફડણવીસને છોડવામાં આવ્યા, કહ્યું- જ્યાં સુધી મલિક રાજીનામું નહીં આપે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે

ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે.

દેવેન્દ્ર ફડણવીસે કસ્ટડીમાં લીધા પહેલા મોરચામાં સામેલ કાર્યકરોને સંબોધતા કહ્યું કે અનિલ દેશમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે, સંજય રાઠોડનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. તો પછી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત વ્યક્તિનું રાજીનામું કેમ સ્વીકારવામાં નથી આવી રહ્યું. શું આ સરકાર દાઉદની સૂચના પર ચાલે છે? આ મોરચામાં સામેલ પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે વિરોધ મોરચાના સંદર્ભમાં પુષ્પા ફિલ્મના સંવાદ ઉમેરતા જણાવ્યું હતું કે, ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે તો  ફ્લાવર સમજો છો શું ? ફ્લાવર નહી ફાયર છે. નવાબ મલિકના રાજીનામા સુધી આ આગ ઓલવાશે નહીં. હવે આ આગ ભડકશે. આ આગમાં જેમણે આતંકવાદીઓને મદદ કરી હતી તેઓ બળીને રાખ થઈ જશે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યે કોર્ટમાં દાખલ કરી પીઆઈએલ, કોર્ટે આ કારણ આપીને લગાવી ફટકાર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">