AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં 15 માળની ઈમારતમાં લાગી આગ, 60 વર્ષના વૃદ્ધનું મોત, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી 15 માળની ઈમારતમાં આગ લાગી હતી. રેન ટ્રી નામની ઈમારતમાં આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં એક 60 વર્ષના વૃદ્ધનું મોત થયું છે.

મુંબઈમાં 15 માળની ઈમારતમાં લાગી આગ, 60 વર્ષના વૃદ્ધનું મોત, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:06 PM
Share

મુંબઈના દાદર વિસ્તારમાં આવેલી 15 માળની ઈમારતમાં આગ લાગી હતી. રેન ટ્રી નામના એપાર્ટમેન્ટમા આગ લાગી હતી. આ ઘટનામાં 60 વર્ષના એક વ્યક્તિનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈના કુર્લા વિસ્તારમાં 12 માળની ઈમારતમાં આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ આગ મધરાતે 12.15 વાગ્યે લાગી હતી. આગ વીજ વાયરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને 12મા માળે ફેલાઈ હતી. જેના કારણે અનેક લોકો ફસાઈ ગયા હતા.

મુંબઈમાં અગાઉ પણ આગ લાગી છે

તમને જણાવી દઈએ કે આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, આગ ગ્રાઉન્ડ ફ્લોર પરના વાયરમાં લાગી હતી. ધીરે ધીરે આગ 12મા માળે પહોંચી. આ ઘટનામાં ઉપરના માળે રહેતા 60 લોકો ત્યાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ 60 લોકોને સીડીની મદદથી બચાવી લીધા હતા, જેમાંથી 43 લોકોએ ગૂંગળામણની ફરિયાદ કરી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીએમસી ડિઝાસ્ટર કંટ્રોલે આ અંગે જણાવ્યું હતું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હવે કૂલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રસ્તા પર તરવા લાગી બસો, દુકાનો અને ઘરોમાં ઘૂસ્યા પાણી; નાગપુરમાં વરસાદે મચાવી દીધી તબાહી, જુઓ-VIDEO

સીડીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું

આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સૌપ્રથમ તેમણે બિલ્ડિંગની વીજળી કાપી નાંખી હતી. બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરોને 39 મિનિટ સુધી મહેનત કરવી પડી હતી. આગની ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. બચાવી લેવામાં આવેલા ઘણા લોકો ગૂંગળામણથી પીડાતા હતા અને તેમને સારવાર માટે મહાનગરપાલિકા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">