Mumbai: મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Mumbai: મુંબઈમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
Mumbai Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 8:59 AM

Fire break out At Mumbai: મુંબઈથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ (Fire) લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 14 માળની ઈમારતમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ અહીં અફરા-તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુંબઈનો બ્રીચ કેન્ડી વિસ્તાર ખૂબ જ પોશ વિસ્તાર છે.

12મા માળે આગ ફાટી નીકળી, આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા

રાત્રે 10:26 કલાકે આગ લાગી હતી

આ પણ વાંચો : Maharashtra: હવે મહારાષ્ટ્રના 300 મંદિરોમાં પણ લાગુ થશે ડ્રેસ કોડ, મંદિર મહાસંઘે કેમ લીધો આવો નિર્ણય?

આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ 13મા માળ સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર 14 માળની ઈમારતમાં આગની આ ઘટના રાત્રે 10:26 વાગ્યે બની હતી. મુંબઈના ચેમ્બુરમાં આગની ઘટના ત્રણ દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી. અહીં રાત્રે લગભગ 3 વાગ્યે સાત માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અનેક ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. બાદમાં જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આ બિલ્ડિંગમાં આગ લાગી હતી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
PMના પ્રહાર પર શક્તિસિંહનો પલટવાર, MOU અંગે શ્વેતપત્ર બહાર પાડે સરકાર
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
ABVP હવે સરકાર સામે માંડશે મોરચો, TET-TAT ઉમેદવારોના સમર્થનમાં ઉતરશે
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરેજાની ધમાકેદાર બેટિંગ, છલકાયા નદીનાળા
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
Rajkot સ્લેબ ધરાશાયી મામલો, એન્જિનિયર હયાત ન હોવાનો પત્રમાં ઉલ્લેખ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
ગણેશ મહોત્સવ અને ઈદને લઈ DIG અને SP દ્વારા હિંમતનગરમાં ફુટ પેટ્રોલિંગ
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સ્નાતકોને ઈ-કોમર્સ ક્ષેત્રમાં મહિને 33,000થી વધુ પગાર
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખનુ વિચિત્ર નિવેદન, શ્વાન સ્થાનિક નહોતો એટલે
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને ડિઝાઈનીંગ ક્ષેત્રમાં મહિને 29,000થી વધુ પગાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
મહિસાગર પોલીસે દારુ ભરેલી કારનો ફિલ્મી સ્ટાઈલે કર્યો પીછો, ચાલક ફરાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર
સ્નાતકોને ડેરી ક્ષેત્રમાં મળશે મહિને 41,000થી વધુ પગાર