AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: મુંબઈની ઈમારતમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં આવી, કોઈ જાનહાનિ નહીં

અધિકારીએ જણાવ્યું હતું કે આગ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ ફ્લોરમાં ફાટી નીકળી હતી જેમાં ઇલેક્ટ્રિકલ વાયર, લાકડાની વસ્તુઓ, સ્પ્લિટ એસી, કોમ્પ્યુટર, પેકિંગ સામગ્રી અને ત્યાં સંગ્રહિત સામાનનો સમાવેશ થાય છે.

Mumbai: મુંબઈની ઈમારતમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં આવી, કોઈ જાનહાનિ નહીં
Mumbai Building Fire
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 12:58 PM
Share

Mumbai: મુંબઈમાં બુધવારે એક પાંચ માળની ઈમારતના ભોંયરામાં લાગેલી મોટી આગ 30 કલાક પછી શુક્રવારે સવારે કાબૂમાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 12.15 વાગ્યે ઉપનગરીય અંધેરીના SEEPZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેને શુક્રવારે સવારે 6.15 વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો: Wrestlers Protest: ખોટી રીતે સ્પર્શ કર્યો, ખભો દબાવ્યો, જાણો બ્રિજભૂષણ સિંહ પર નોંધાયેલી FIRમાં કયા-કયા આરોપ લાગ્યા

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બે ફાયરમેનને સામાન્ય ઈજાઓ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. સ્થળ પર હાજર એમ્બ્યુલન્સમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા 12 ફાયર એન્જિન, આઠ પાણીના ટેન્કરો અને અન્ય સાધનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો અને આગને કાબૂમાં લેવા માટે 185 વેન્ટિલેટરનો ઉપયોગ કર્યો.

આગને કારણે બિલ્ડિંગના બીજા માળે બે સુરક્ષાકર્મીઓ ફસાયા હતા, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ તેમને સીડીનો ઉપયોગ કરીને બહાર કાઢ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે આગ બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ ફ્લોરમાં ફાટી નીકળી હતી જેમાં ઇલેક્ટ્રિકલ વાયર, લાકડાની વસ્તુઓ, સ્પ્લિટ એસી, કોમ્પ્યુટર, પેકિંગ સામગ્રી અને ત્યાં સંગ્રહિત સામાનનો સમાવેશ થાય છે.

આ પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતુ કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 14 માળની ઈમારતમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું. આગ લાગ્યા બાદ અહીં અફરા-તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુંબઈનો બ્રીચ કેન્ડી વિસ્તાર ખૂબ જ પોશ વિસ્તાર છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">