Nupur Sharmaની મુસીબત વધી શકે છે, મુંબઈ પોલીસ 15 દિવસમાં લઈ શકે છે મોટું એક્શન
મુંબઈના 300 મૌલાનાઓએ પોલીસ કમિશ્નર સંજય પાંડે સાથે મુલાકાત કરી હતી, આ મામલે મૌલાનાઓએ નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસનો અભાર માન્યો હતો અને જલ્દી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
Nupur Sharma : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ દેશના કેટલાક રાજ્યોમાં ચાલી રહેલ હિંસક પ્રદર્શન વચ્ચે કાર્યવાહીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી અનુસાર વિવાદિત નિવેદન પર મુંબઈ પોલીસ (Mumbai Police) આગામી 15 દિવસમાં નૂપુર શર્મા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. મુંબઈના 300 મૌલાનાઓથી પોલીસ કમિશ્નર સંજય પાંડેની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં હાજર મૌલાનાઓએ મુંબઈ પોલીસને નૂપુર શર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે આભાર માન્યો હતો અને જલ્દી કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેના પર મુંબઈ પોલીસ કમિશ્નરે પ્રોટોકૉલ ફૉલો કરતા આગામી 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન મૌલાનાને આપ્યું છે.
મુંબઈ પોલીસે નૂપુર શર્માને સમન્સ મોકલ્યું
પયગંબર મૌહમ્મદ (Prophet Muhammad) પર વિવાદિત ટિપ્પણી કરવા મામલે નૂપુર શર્માની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈ પોલીસ આગામી 15 દિવસમાં નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આ પહેલા નૂપુર શર્માને મુંબઈ પોલીસને સમન્સ જાહેર કર્યું છે. જેમાં મુંબઈ પોલીસે નૂપુરને પુછપરછ માટે 25જૂને સમન્સ પાઠવ્યું છે. નૂપુર વિરુદ્ધ મુંબઈના પાયધુની પોલીસમાં રઝા ફાઉન્ડેશન તરફથી કલમ 295A, 153A, 505B હેઠળ નૂપુર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે ફરિયાદના આધાર પર હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને નૂપુર શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 153 A, 505 (2) કલમ 506 હેઠળ ફરિયાદ નોંધી છે. થોડા સમય પહેલા દિલ્હી પોલીસે પણ નૂપુર શર્મા સહિતઅન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
નૂપુર શર્માને ભાજપે સસ્પેન્ડ કર્યા
આ મામલે ભાજપ નૂપુર શર્માને પાર્ટી પહેલા સસ્પેન્ડ કરી ચૂકી છે. આ પહેલા પાર્ટી પ્રવક્તા હતા. નૂપુર શર્માએ પોતાના નિવેદનને લઈ સાર્વજનિક રીતે માફી માંગી ચૂકી છે પરંતુ મુસ્લિમ સમુદાય સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પયંગબર મૌહમ્મદ પર તેમના તરફથી કરવામાં આવેલી ટિપ્પણી બાદથી દિલ્હી, યૂપી સહિત અન્ય કેટલાક રાજ્યોમાં જુમાની નમાઝ બાદ હિંસક પ્રદર્શનની ઘટનાઓ સામે આવી છે. કેટલાક શહેરોમાં મુસ્લિમ સમુદાય પ્રદર્શનને લઈ રસ્તાઓ પર ઉતર્યા છે પરંતુ કેટલીક જગ્યાઓ પર પ્રદર્શન હિંસામાં ફેરવાયું છે. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડી રહી છે. આ હિંસામાં અનેક લોકોના મોત અને કેટલાક લોકો ઘાયલ થયા છે.