અમરાવતી હત્યાના દોષિતોને મળે કડકમાં કડક સજા, સાંસદ નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

અમરાવતી પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. પરંતુ ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસ તપાસ ખોટી દિશામાં જઈ રહી છે.

અમરાવતી હત્યાના દોષિતોને મળે કડકમાં કડક સજા, સાંસદ નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર
MP Navneet RanaImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 4:57 PM

અમરાવતીના (Amravati) સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ભાજપના નેતા અનિલ બોંડે બાદ હવે અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની (Umesh Kolhe) હત્યાને ઉદયપુરના દરજીની હત્યા સમાન ગણાવી છે. રાણા દંપતીનો દાવો છે કે મામલાને દબાવવા માટે પોલીસે ખોટી દિશામાં તપાસ આગળ વધારી છે. આ અંગે ફરિયાદ કરતાં નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે. નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને (HM Amit Shah) પત્ર લખીને અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહને પદ પરથી હટાવવાની અને તપાસને યોગ્ય દિશામાં આગળ વધારવાની માંગ કરી છે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર એટીએસે પણ આ કેસની તપાસ હાથ ધરી છે. અમરાવતી પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. પરંતુ ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસ તપાસ ખોટી દિશામાં જઈ રહી છે. ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કર્યું હતું. જે બાદ તેને ધમકીઓ મળી હતી. ધમકીઓ મળ્યા બાદ 21 જૂને તેની હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ જ ઉમેશ કોલ્હેની પણ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આવો જ દાવો હવે રાણા દંપતી પણ કરી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

પોલીસના વલણ પર રાણા દંપતિએ કર્યા સવાલ

આ દરમિયાન આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે આરોપીને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. આ પછી ભાજપના નેતાઓએ આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરી હતી અને મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએ દ્વારા કેસની તપાસની માંગ કરી હતી. રાણા દંપતીનું કહેવું છે કે મામલાને દબાવવા માટે પોલીસ તેને લૂંટના ઈરાદે હત્યાનો કેસ બનાવી રહી છે.

અમરાવતીની હત્યામાં પણ શું ઉદયપુર જેવી જ કાર્યવાહી, NIAની તપાસમાં સત્ય આવશે બહાર

હવે જોવાનું એ રહેશે કે NIAની તપાસમાં શું સત્ય બહાર આવે છે. હાલ NIAની ટીમ અમરાવતી પહોંચી છે અને કેસની તપાસ શરૂ કરી છે. દરમિયાન પોલીસે પણ હવે લૂંટના હેતુને બદલે હવે હત્યાના એન્ગલથી તપાસની દિશામાં આગળ વધી રહી છે અને ઉદયપુરના દરજીની હત્યા સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">