Maharashtra: શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી ! સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
રાજ્યમાં નવી સરકારની રચના બાદ મંત્રી પરિષદના વિસ્તરણ(Maharashtra Cabinet Expansion)ની ચર્ચા વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ(Eknath Shinde and Devendra Fadnavis) શુક્રવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હતા. (Union Home Minister Amit Shah) શુક્રવારે મોડી સાંજે અહીં પહોંચેલા શિંદે અને ફડણવીસ આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પણ મળવાના છે.
રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા બાદ બંને નેતાઓ મહારાષ્ટ્ર સદન પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે ફડણવીસ પહેલા શાહના ઘરે પહોંચ્યા હતા અને થોડા સમય પછી શિંદે પણ ત્યાં ગયા હતા. શાહ સાથેની ચર્ચા ભાજપ અને શિવસેનાના શિંદે જૂથ સાથે સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાની આસપાસ કેન્દ્રિત હોવાનું માનવામાં આવે છે. શાહે ટ્વિટર પર શિંદે અને ફડણવીસ સાથેની તેમની મુલાકાતની તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “મને ખાતરી છે કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે બંને નિષ્ઠાપૂર્વક લોકોની સેવા કરશો.”
11 જુલાઈના રોજ યોજાનારી સુનાવણી પર શિંદેએ કહ્યું- અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે
શિંદે અને ફડણવીસની દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે શિંદે અને તેમના જૂથના 15 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથની અરજી પર સુપ્રીમ કોર્ટ 11 જુલાઈએ મહત્વપૂર્ણ સુનાવણી કરશે. શિંદેએ અહીં મીડિયાને જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે તેમના જૂથને શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યોનું સમર્થન છે. શિંદેના બળવા પહેલા શિવસેના પાસે 55 ધારાસભ્યો હતા.
महाराष्ट्र के नवनियुक्त मुख्यमंत्री @mieknathshinde जी व उप-मुख्यमंत्री @Dev_Fadnavis जी से भेंट की और उन्हें शुभकामनाएं दीं।
मुझे विश्वास है कि श्री @narendramodi जी के मार्गदर्शन में आप दोनों पूरी निष्ठा के साथ जनता की सेवा कर महाराष्ट्र को विकास की नई ऊँचाइयों पर ले जाएंगे। pic.twitter.com/hmuO8SSwg8
— Amit Shah (@AmitShah) July 8, 2022
વિધાનસભાના અધ્યક્ષે અમને માન્યતા આપી- એકનાથ શિંદે
મુખ્યમંત્રીએ કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષે પણ અમને માન્યતા આપી છે. શિંદેએ 30 જૂને ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે પહેલા તેમણે ઠાકરે સામે બળવો કર્યો હતો અને ઠાકરેની આગેવાની હેઠળની સરકારને ઉથલાવી હતી. એકનાથ શિંદે સરકારે 4 જુલાઈના રોજ વિશ્વાસ મત જીત્યો હતો. અહીં, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીઓ અને મહા વિકાસ અઘાડી સરકારના પતન સાથે સંબંધિત ઘટનાક્રમની તપાસની જવાબદારી તેના વરિષ્ઠ નેતા મોહન પ્રકાશને સોંપી છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને તપાસ અને રિપોર્ટ સોંપવાની જવાબદારી મોહન પ્રકાશને આપી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલે ગુરુવારે આ મુદ્દાઓને લઈને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા.