Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'મને BKC સાયબર પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મને ગઈ કાલે 11 વાગ્યે સાયબર પોલીસ દ્વારા BKC ખાતે બોલાવવામાં આવ્યો છે.  જોકે હું વિરોધ પક્ષનો નેતા છું. તેથી, મારી પાસે એ અધિકાર છે કે, હું તેમને મારી પાસે રહેલી ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડને લગતી માહિતી ન પણ આપુ પણ તેમ છતાં મારી જવાબદારી સમજીને હું જઈશ.

Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી
Devendra Fadnavis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2022 | 5:45 PM

મુંબઈ પોલીસે (Mumbai Police) મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) સીઆરપીસી 160 હેઠળ નોટિસ મોકલી છે. આ નોટિસ ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડના (Transfer posting scam) મામલામાં મોકલવામાં આવી છે. મુંબઈ પોલીસે તેમને રવિવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે આજે (12 માર્ચ) બપોરે 1 વાગ્યે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મેં માર્ચ 2121માં મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે રિપોર્ટ છ મહિનાથી સરકાર પાસે પડયો હતો.

ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે કોણે કેટલા પૈસા આપ્યા. કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી? આ બધી માહિતી તેમાં હતી. સાંજે મેં તે અહેવાલ ગૃહ સચિવને સુપરત કર્યો. જ્યારે આ રિપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે નામદાર કોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યો હતો. જ્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું ત્યારે આ સરકારે મારી સામે કેસ કર્યો. કહેવામાં આવ્યું કે આ જાણકારી બહાર કેવી રીતે આવી. આમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન છે. મને ગૃહ સચિવ તરફથી પ્રશ્નો પૂછવામાં આવ્યા, મેં જવાબો પણ આપ્યા.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મને BKC સાયબર પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મને ગઈ કાલે 11 વાગ્યે સાયબર પોલીસ દ્વારા BKC ખાતે બોલાવવામાં આવ્યો છે. જોકે હું વિરોધ પક્ષનો નેતા છું. તેથી, મારી પાસે એ અધિકાર છે કે હું તેમને મારી પાસે રહેલી ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડને લગતી માહિતી ન પણ આપુ. પણ તેમ છતાં મારી જવાબદારી સમજીને હું જઈશ અને તેમની પૂછપરછમાં સહકાર આપીશ. પરંતુ મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં દૂધુનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફોન ટેપિંગના સંબંધમાં મને પૂણે પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથીઃ ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું ‘ફોન ટેપિંગને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલો ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડ સાથે સંબંધિત છે. તેમણે મીડિયામાં ફેલાયેલા આ સમાચારને ખોટા ગણાવ્યા કે ફોન ટેપિંગ કેસમાં પૂણે પોલીસ દ્વારા તેમને કોઈ પ્રકારની નોટિસ મોકલવામાં આવી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જેના કારણે આ કૌભાંડ સામે આવ્યું છે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી રહ્યો છે. જેમણે કૌભાંડ આચર્યું છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે કહ્યું ‘મામલો સીબીઆઈ પાસે છે, હું તમામ પુરાવા સીબીઆઈને આપીશ. મને માહિતી કેવી રીતે મળી તે પૂછવાનો કોઈને અધિકાર નથી. હું મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન હતો, હું વર્તમાન વિપક્ષી નેતા છું. મને આનો વિશેષાધિકાર મળ્યો છે. હું રાજ્યનો વિરોધ પક્ષનો નેતા છું.

આ પણ વાંચો :  મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">