મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો આદેશ આપ્યો છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામના કામો નહીં થાય. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેમણે આ આદેશ આપ્યો છે.

મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ
Sanjay Pandey, Police Commissioner of Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:20 PM

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો આદેશ આપ્યો છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામના કામો (Construction Works) નહીં થઈ શકે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને (Mumbai Noise Pollution) લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. ફરિયાદોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું નથી. આ પ્રદૂષણ ભલે દેખાતું ન હોય પરંતુ તે જીવલેણ છે. જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ધ્વનિ પ્રદૂષણમાં થોડો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ રાત્રી દરમિયાન કરવામાં આવતું બાંધકામ છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈમાં અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે આ આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરને ખ્યાલ આવ્યો કે ધ્વનિ પ્રદૂષણને કારણે ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી આ ફરિયાદ પર ધ્યાન આપવાની જરૂર છે. આ પછી સંજય પાંડેએ બાંધકામ સાથે જોડાયેલા વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે આદેશ આપ્યો હતો કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવશે નહીં.

નિયત ડેસિબલ મર્યાદા કરતાં વધુ અવાજ ન થાય તેની કાળજી રાખવા સૂચના

મુંબઈમાં રાત્રિ દરમિયાન બાંધકામ બંધ રાખવા સંબંધિત માહિતી ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને આપવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બાંધકામના સ્થળો પર અવાજને દૂર દૂર સુધી ફેલાતો અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે. એવી ટેકનિકનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અવાજો દૂરથી સંભળાય નહીં. અવાજ નિર્ધારિત ડેસિબલ મર્યાદાથી વધી ન જાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. અવાજનું સ્તર 65 ડેસિબલથી વધુ ન થાય તેનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

પોલીસ કમિશનર બન્યા બાદ સંજય પાંડે સામાન્ય નાગરિકો સાથે સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં આવતી નાગરિકોની ફરિયાદો પર ધ્યાન આપી રહ્યા છે. ફેસબુક લાઈવમાં ઘણા લોકોએ તેમની સામે અવાજ પ્રદુષણની ફરિયાદ કરી હતી. આ પછી સંજય પાંડેએ મુંબઈના કેટલાક મોટા બિલ્ડરો અને બિઝનેસમેન સાથે બેઠક કર્યા બાદ આ આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra Budget: મુંબઈની આસપાસના વિસ્તારોને દરિયાઈ માર્ગથી જોડવામાં આવશે, ડેપ્યુટી સીએમ અજિત પવારે બજેટમાં કરી મોટી જાહેરાતો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">