AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ

મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો આદેશ આપ્યો છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામના કામો નહીં થાય. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેમણે આ આદેશ આપ્યો છે.

મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ
Sanjay Pandey, Police Commissioner of Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:20 PM
Share

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ નવો આદેશ આપ્યો છે. હવેથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બાંધકામના કામો (Construction Works) નહીં થઈ શકે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ધ્વનિ પ્રદૂષણને (Mumbai Noise Pollution) લઈને ઘણી ફરિયાદો થઈ રહી છે. ફરિયાદોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું નથી. આ પ્રદૂષણ ભલે દેખાતું ન હોય પરંતુ તે જીવલેણ છે. જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ધ્વનિ પ્રદૂષણમાં થોડો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ રાત્રી દરમિયાન કરવામાં આવતું બાંધકામ છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ પોલીસ કમિશનરે મુંબઈમાં અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે આ આદેશ આપ્યો છે. પોલીસ કમિશનરને ખ્યાલ આવ્યો કે ધ્વનિ પ્રદૂષણને કારણે ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે. તેથી આ ફરિયાદ પર ધ્યાન આપવાની જરૂર છે. આ પછી સંજય પાંડેએ બાંધકામ સાથે જોડાયેલા વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે આદેશ આપ્યો હતો કે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવશે નહીં.

નિયત ડેસિબલ મર્યાદા કરતાં વધુ અવાજ ન થાય તેની કાળજી રાખવા સૂચના

મુંબઈમાં રાત્રિ દરમિયાન બાંધકામ બંધ રાખવા સંબંધિત માહિતી ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓને આપવામાં આવી છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બાંધકામના સ્થળો પર અવાજને દૂર દૂર સુધી ફેલાતો અટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે. એવી ટેકનિકનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અવાજો દૂરથી સંભળાય નહીં. અવાજ નિર્ધારિત ડેસિબલ મર્યાદાથી વધી ન જાય તેનું ધ્યાન રાખવા જણાવાયું છે. અવાજનું સ્તર 65 ડેસિબલથી વધુ ન થાય તેનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર બન્યા બાદ સંજય પાંડે સામાન્ય નાગરિકો સાથે સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયામાં આવતી નાગરિકોની ફરિયાદો પર ધ્યાન આપી રહ્યા છે. ફેસબુક લાઈવમાં ઘણા લોકોએ તેમની સામે અવાજ પ્રદુષણની ફરિયાદ કરી હતી. આ પછી સંજય પાંડેએ મુંબઈના કેટલાક મોટા બિલ્ડરો અને બિઝનેસમેન સાથે બેઠક કર્યા બાદ આ આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :  Maharashtra Budget: મુંબઈની આસપાસના વિસ્તારોને દરિયાઈ માર્ગથી જોડવામાં આવશે, ડેપ્યુટી સીએમ અજિત પવારે બજેટમાં કરી મોટી જાહેરાતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">