AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોલમાં મળશે વાઈન : મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ BJP આકરા પાણીએ, સંજય રાઉતે આપ્યો આ જવાબ

સંજય રાઉતે કહ્યુ, 'વાઇનરી ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ પર નિર્ભર છે. ખેડૂતો જે ફળો ઉગાડે છે, તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે.

મોલમાં મળશે વાઈન : મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ BJP આકરા પાણીએ, સંજય રાઉતે આપ્યો આ જવાબ
Now wine available in supermarket sanjay raut respond on bjp
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:18 PM
Share

Maharashtra : રાજ્ય સરકાર દ્વારા મોલ, સુપરમાર્કેટ (Supermarket) અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવા માટે પરવાનગી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આ માટે શરત એ છે કે દુકાનનું કદ એક હજાર ચોરસ ફૂટથી વધુ હોવુ જોઈએ. મહારાષ્ટ્ર સરકારના (Maharashtra Government) આ નિર્ણયનો હાલ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વાઈન મુદે રાજકારણ…!

ભાજપ તરફથી કહેવામા આવી રહ્યુ છે કે, સરકાર પેટ્રોલ અને ડીઝલ સસ્તુ કરવાને બદલે વાઈનના વેચાણ માટે સુવિધા આપી રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારે ચંદ્રપુર જિલ્લામાં દારૂબંધી હટાવી લીધી હતી. તેના પરનો વિરોધ પણ હજુ શાંત થયો ન હતો કે હવે મોલ, સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઈનના વેચાણને મંજૂરી આપતા હાલ વિવાદ વધુ વણસ્યો છે.

ભાજપે રાજ્ય સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપનુ કહેવુ છે કે, દારૂના વેચાણમાંથી આવક વધારવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર ખેડૂતોને ફાયદો થાય તે માટે આ નિર્ણય લીધો હોવાનુ જણાવી રહી છે. NCPના પ્રવક્તા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik)  આ મામલે કહ્યુ હતુ કે, ‘વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર કામ કરે છે. જેથી આ બહુ મહત્ત્વનો નિર્ણય છે.

આ નિર્ણયનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે (devendra fadanvis) કહ્યુ કે આ મહારાષ્ટ્ર છે કે મદ્ય રાષ્ટ્ર ? કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો અને ગરીબો માટે એક પણ મદદની જાહેરાત કરી નથી. તેઓ માત્ર દારૂની જ ચિંતા કરે છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા અને દારૂ સસ્તો થઈ રહ્યો છે. નવાબ મલિકને આ નિર્ણયની જાહેરાત કરવાની જવાબદારી આપવા પાછળનું કારણ શું છે ?

સંજય રાઉતે ભાજપના વિરોધને ખેડૂતો સાથેની દુશ્મનાવટ ગણાવી

શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપના વિરોધને ખોટો ગણાવ્યો છે. તેમણે આ વિરોધને ખેડૂતો સાથેની દુશ્મનાવટ ગણાવતા કહ્યુ કે, વાઈનરી ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ પર નિર્ભર છે. ખેડૂતો જે ફળો ઉગાડે છે તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિત માટે સાહસિક નિર્ણયો લેવા પડશે. જે લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખેડૂતોના દુશ્મન છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો, ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન કરાયુ રદ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">