Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: રાજ્યમાં કોરોનાથી આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 425 નવા કેસ નોંધાયા છે. જ્યારે 36,708 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

Maharashtra: રાજ્યમાં કોરોનાથી આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
Maharashtra Corona Update (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:47 AM

Maharashtra Corona Update: રાજ્યમાં હાલ કોરોના કેસમાં (Corona Case) ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારે કોરોનાના કારણે 42 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 25,425 નવા કેસ નોંધાયા છે. તેમજ 36,708 લોકો કોરોનાથી સાજા થયા છે. આ નવા કેસ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસ (Corona Active Case) વધીને 2,87,397 થયા છે. તમને જણાવવુ રહ્યું કે કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકા હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.

બીજી તરફ મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં કોવિડ-19ના 1,858 નવા કેસ આવ્યા અને 13 દર્દીઓના મોત થયા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં રોજના 2000થી ઓછા કેસ આવી રહ્યા છે. નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 10,40,363 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 16,569 થઈ ગયો છે. ઉપરાંત બુધવારે 1,656 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 9,98,698 થઈ ગઈ છે.

Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?
Vastu Tips : ઘરના ફ્રિજ ઉપર આ 4 વસ્તુ ભૂલથી ન રાખતા, આવશે ગરીબી
Bike Petrol : બાઇકને તડકામાં પાર્ક કરો તો પેટ્રોલ ઉડી જાય છે ?

દેશમાં મૃત્યુના આંકડા ડરામણા

છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 2,86,384 નવા કેસ નોંધાયા છે, જ્યારે 573 દર્દીઓના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,03, 71,500 થઈ ગઈ છે.

કોરોના ગાઈડલાઈન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન હવે 28 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી રહી છે.

ઉપરાંત ગૃહ સચિવે કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની સાથે હવે ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે કોરોના સંક્રમણના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા તમામ રાજ્યોમાં પ્રતિબંધોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો : Maharashtra: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે મુંબઈમાં બ્લેક ફંગસનો પગ પેસારો, 70 વર્ષની મહિલામાં જોવા મળ્યા લક્ષણ

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">