AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nashik Breaking News : ગળું કાપ્યું, 18 કલાક લાશ ઘરમાં રાખી અને પછી કસારા ઘાટમાં ફેંકી, આવા ભયાનક કરતૂતનો અંત ક્યારે આવશે ?

લિવ-ઇન રિલેશનશિપમાં મુશ્કેલીઓથી કંટાળીને, એક મહિલાએ મિત્રની મદદથી તેના 40 વર્ષીય બોયફ્રેન્ડની હત્યા કરી. તેણે 18 કલાક સુધી લાશ ઘરમાં રાખી અને પછી કસારા ઘાટમાં ફેંકી દીધી. પોલીસે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે અને શંકાસ્પદોની ધરપકડ કરી છે.

Nashik Breaking News : ગળું કાપ્યું, 18 કલાક લાશ ઘરમાં રાખી અને પછી કસારા ઘાટમાં ફેંકી, આવા ભયાનક કરતૂતનો અંત ક્યારે આવશે ?
Nashik CrimeImage Credit source: Google
| Updated on: Aug 18, 2026 | 3:30 PM
Share

છેલ્લા કેટલાક સમયથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પ્રેમસંબંધ અથવા લિવ-ઇન રિલેશનશિપમાં થયેલા વિવાદ બાદ ગર્લફ્રેન્ડ દ્વારા બોયફ્રેન્ડની હત્યાના આરોપ લાગ્યા છે. ડ્રમ કેસથી લઈને સિયા કેસથી સહિતના અનેક મામલાઓએ લોકોને ચોંકાવી દીધા છે. હવે નાશિકમાં પણ લિવ-ઇન પાર્ટનરની હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૃતદેહને 18 કલાક સુધી ઘરમાં રાખ્યા બાદ કસારા ઘાટમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો આરોપ છે.

નાસિકથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા બોયફ્રેન્ડની તેની ગર્લફ્રેન્ડે મિત્રની મદદથી હત્યા કરી છે. આ ભયાનક ઘટના સામે આવ્યા બાદ, સર્વત્ર ખળભળાટ મચી ગયો છે. સૂત્રો અનુસાર, પ્રેમિકાએ મિત્રની મદદથી ઘરે તેના બોયફ્રેન્ડનું ગળું કાપી નાખ્યું હતું. 40 વર્ષીય મૃતકનું નામ વસંત ગોરખનાથ સાતપુતે છે. વસંત સાતપુતેની હત્યા કર્યા પછી, શંકાસ્પદોએ 18 કલાક સુધી લાશ ઘરમાં રાખી હતી. પછી, કારમાં લઈ જતી વખતે તે લાશ કસારા ઘાટમાં ફેંકી દીધી.

ગુપ્ત માહિતીના આધારે ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો

મન સુન્ન કરી દે તેવી વાત એ છે કે વસંત સાતપુતેના મૃતદેહને ફેંક્યા પછી, શંકાસ્પદ વ્યક્તિ મુંબઈમાં ફરતો હતો અને લોહીના ડાઘ પણ સાફ કરી નાખતો હતો. આ કેસમાં કોઈ કેસ નોંધાયો ન હતો. પરંતુ પોલીસે ગુપ્ત માહિતીના આધારે ગુનાનો પર્દાફાશ કર્યો હતો. સૂત્રો અનુસાર, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે શંકાસ્પદ હસીના શેખ અને તેનો મિત્ર સાહિલ શાહ અને તેના સાથીઓએ કારમાં લાશ લઈ ગયા હતા.

હસીના શેખ અને સાહિલ શાહની પોલીસે કરી ધરપકડ

પોલીસે મોટી કાર્યવાહી કરી. પ્રાપ્ત માહિતીના આધારે, પોલીસે કસારા ઘાટમાં શોધખોળ કરી હતી. જ્યારે પોલીસે મૃતકની ઓળખ કરવાનું કામ શરૂ કર્યું ત્યારે સ્પષ્ટ થયું કે તે વસંત ગોરખનાથ સાતપુતે છે. પોલીસે કરેલી કાર્યવાહી બાદ, હસીના શેખ અને મિત્ર સાહિલ શાહ બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં, પોલીસે હસીના શેખ, સાહિલ શાહ અને મોઈન શાહને કસ્ટડીમાં લીધા છે. પોલીસ હવે શંકાસ્પદોએ હત્યા કેવી રીતે કરી હત્યા શા માટે કરી અને તેમાં કેટલા લોકો સંડોવાયેલા છે જેવા તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો, Breaking News : ગુજરાતમાં AI માટે ₹100 કરોડનું રોકાણ, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEs ને મળશે ફાયદો !

Follow Us
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
g clip-path="url(#clip0_868_265)">