AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી નોકરીઓની તૈયારી કરનારા લોકો માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં કર્યો વધારો

મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં છુટ આપીને ઉમેદવારોને રાહત આપી છે. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારના આ નિર્ણય બાદ હવે 31 ડિસેમ્બર 2023 સુધઈ વય મર્યાદામાં છુટ લાગુ રહેશે.

સરકારી નોકરીઓની તૈયારી કરનારા લોકો માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં કર્યો વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:08 PM
Share

સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે નોકરીઓ માટે વય મર્યાદામાં બે વર્ષનો વધારો કર્યો છે. આ તે ઉમેદવારો માટે રાહતની વાત છે, જે કોરોનાકાળ દરમિયાન વેકેન્સી ના બહાર પડવાના કારણે સરકારી નોકરીઓની પરીક્ષામાં હાજર રહી શક્યા નહતા અને આ દરમિયાન તેમની ઉંમર નીકળી ગઈ.

હવે સરકારે વય મર્યાદામાં છુટ આપીને તેમને રાહત આપી છે. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારના આ નિર્ણય બાદ હવે 31 ડિસેમ્બર 2023 સુધઈ વય મર્યાદામાં છુટ લાગુ રહેશે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્ય વહીવટના વિવિધ વિભાગોમાં 75,000 પદ પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીઓ માટે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ હોવાના કારણે રાજ્ય સરકારે 75 હજાર લોકોની ભરતીની જાહેરાત કરી છે. કોરોનાકાળમાં બે વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન જ થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં ઘણા ઉમેદવારોની ઉંમર બેઠા બેઠા પસાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Gujarati Video: સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

જનરલ કેટેગરી માટે વય મર્યાદા હવે 38થી વધીને 40 કરાઈ

આવા વિદ્યાર્થીઓ તરફથી વય મર્યાદામાં છૂટછાટ આપવા ખાસ માંગ કરવામાં આવી હતી. તેમની માંગણી સ્વીકારવામાં આવી છે અને હવે ઉંમરમાં છૂટછાટ 2 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અત્યાર સુધી જે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 38 વર્ષ હતી, તે હવે 40 વર્ષ કરવામાં આવી છે.

પછાત વર્ગના ઉમેદવારો માટે જે વય મર્યાદા 43 વર્ષ હતી, તે હવે વધારીને 45 વર્ષ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2023 સુધી જે પરીક્ષાઓથી જોડાયેલી જાહેરાતો આવશે, તેમાં આ ઉંમરની છુટ લાગુ રહેશે.

મહારાષ્ટ્ર સરકારનો સંબંધિત મામલે આદેશ જાહેર

મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે આ મામલે પોતાનો આદેશ પણ જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં લાખો વિદ્યાર્થી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. તેમના માટે તે રાત-દિવસ મહેનત કરે છે.

ઘણા લોકોને તેમાં સફળતા મળે છે. ઘણા લોકોને નથી મળતી. તે પછી અન્ય નોકરી માટે પ્રયત્ન કરે છે. આવુ કરવામાં ઘણા લોકોની વય મર્યાદા ખત્મ થઈ જાય છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ઘણા ઉમેદવારો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે.

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">