AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં 64,89,720 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

Maharashtra : ઓમિક્રોનના જોખમને પગલે Dy CM અજીત પવારે કેન્દ્ર સરકાર પર સાધ્યુ નિશાન, ઉઠાવ્યા આ સવાલો
Ajit Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 3:36 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે (Dy CM Ajit Pawar) કહ્યું કે, ઓમિક્રોનના (Omicron) જોખમને રોકવા માટે સરકારે  તમામ રાજ્યોમાં આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંઘ લગાવવો જોઈએ.કારણ કે, માત્ર મુંબઈમાં જ આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ નથી. લોકો એક રાજ્યમાંથી કનેક્ટ ફ્લાઈટ દ્વારા બીજા રાજ્યમાં પહોંચી શકે છે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારવાની જરૂર છે.

રાહુલ ગાંધીની (Rahul Gandhi) મુંબઈ સભાને લઈને અજિત પવારે કહ્યું કે, જો ઓમિક્રોનના મામલા આ રીતે વધતા રહેશે તો સરકારે પરવાનગી અંગે પણ વિચારવું પડશે. તમને જણાવી દઈએ કે, 28 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રાહુલ ગાંધીની એક સભા યોજાવા જઈ રહી છે.

ઓમિક્રોનનો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યુ કે, મહારાષ્ટ્રમાં બુધવારે એક દિવસમાં કોરોનાના (Corona Case) 893 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં, ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાના નવા કેસ સાથે, સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,40,888 પર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 1,41,204 થઈ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજ્યમાં કોરોનાના 669 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા.

તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં 64,89,720 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,63,88,902 લોકોનુ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે તપાસ કરવી જોઈએ

ઉપરાંત બિપિન રાવતના મૃત્યુ પર અજિત પવારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પહેલેથી જ હેલિકોપ્ટરનું ઓડિટ કરી રહી છે કારણ કે અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી.વધુમાં તેમણે કહ્યું કે જે હેલિકોપ્ટર સાથે અકસ્માત થયો છે તે સારી ગુણવત્તાનું છે, દેશના વીઆઈપી લોકો આમાં મુસાફરી કરે છે, છતાં આવી ઘટના કેમ બની છે. કેન્દ્ર સરકાર ચોક્કસપણે આ અંગે તપાસ કરાવી જોઈએ.

આ પણ વાંચો : શું મહારાષ્ટ્રની બહાર પણ કોંગ્રેસ અને શિવસેના કરશે ગઠબંધન ? પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતે આપ્યા સંકેત

આ પણ વાંચો : Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">