AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો પહેલો સસંક્રમિત વ્યક્તિ 33 વર્ષીય મિકેનિકલ એન્જિનિયરનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ
Corona variant Omicron (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:57 AM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓમિક્રોનનો (Omicron) પહેલો કેસ 33 વર્ષીય મિકેનિકલ એન્જિનિયરનો કોરોના તપાસ રિપોર્ટ નેગેટિવ (Negative) આવ્યો છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ માહિતી ગુરુવારે કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર વિજય સૂર્યવંશીએ આપી હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાના 893 નવા કેસ સામે આવ્યા અને 10 લોકોના મોત થયા. જો કે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન સ્વરૂપનો કોઈ કેસ નોંધાયો નથી. સ્વાસ્થ્ય વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. કોરોનાના નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,40,888 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 1,41,204 થઈ ગઈ છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના 669 કેસ નોંધાયા હતા અને 19 લોકોના મોત થયા હતા.

1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં 1040 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં 64,89,720 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,63,88,902 ટેસ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં 74,170 લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં છે અને 891 લોકો સંસ્થાકીય ક્વોરેન્ટાઇનમાં છે.

વાયરસના નવા સ્વરૂપ અંગે બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. આ સ્વરૂપથી સંક્રમિત 10 દર્દીઓની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં 6286 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 46,590 આંતરરાષ્ટ્રીય મુસાફરો મુંબઈ, પુણે અને નાગપુર એરપોર્ટ દ્વારા રાજ્ય પહોંચ્યા છે. બુલેટિનમાં જણાવાયું છે કે, તેમાંથી 7,930 લોકો જોખમ ધરાવતા દેશોમાંથી આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે જોખમ ધરાવતા દેશોના તમામ 7,930 મુસાફરોનું RT-PCR પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 9 સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.

પુણેમાં લાયક વસ્તીને કોરોનાનું 100% રસીકરણ મહારાષ્ટ્રના પુણે જિલ્લાએ તેની પાત્ર વસ્તીને કોરોના રસીનો 100% પ્રથમ ડોઝ આપવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. મુંબઈ પછી પુણે રાજ્યનો આ પ્રકારનો બીજો જિલ્લો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, પુણે જિલ્લાની કુલ વસ્તી 1,13,53,633 છે, જેમાંથી લક્ષ્યાંક વસ્તી 83,42,700 ને તેમની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ટકાવારીનો અંદાજ વર્ષ 2019ની મતદાર યાદી પર આધારિત છે. તે જ સમયે, 54,82,018 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Farmers Protest: ખેડૂતોનું આંદોલન આજે થઈ શકે છે પૂર્ણ, સરકાર અને ખેડૂતો સંમત, માત્ર સત્તાવાર પત્રની રાહ

આ પણ વાંચો : CDS Bipin Rawat Death: બિપિન રાવતનું પૂર્વજોના ગામમાં રોડ બનાવવાનું સપનું રહી ગયું અધૂરું, જાન્યુઆરીમાં જવાના હતા ઘરે

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">