Maharashtra Petrol Diesel Price: કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ ઘટાડ્યો વેટ, પેટ્રોલ અને ડીઝલની કિંમત આવ્યો આટલો ઘટાડો

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યો પર વેટ ઘટાડવાનું દબાણ વધ્યું છે. તે દબાણને જોતા કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તરત જ કેરળ અને રાજસ્થાને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો અને હવે મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે પણ નિર્ણય લીધો છે.

Maharashtra Petrol Diesel Price: કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ ઘટાડ્યો વેટ, પેટ્રોલ અને ડીઝલની કિંમત આવ્યો આટલો ઘટાડો
Petrol Diesel Price (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 7:49 PM

મોદી સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price) પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty) ઘટાડો કર્યો હતો. તેના એક દિવસ બાદ એટલે કે આજે મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ ઘટાડી દીધો છે. રાજ્ય સરકારે પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા 8 પૈસા અને ડીઝલમાં 1 રૂપિયા 44 પૈસાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જનતાને મોટી રાહત મળી છે. વેટ અને એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ હવે રાજ્યમાં એક લિટર પેટ્રોલનો ભાવ 109.27 રૂપિયા થયો છે. તે જ સમયે એક લિટર ડીઝલની કિંમત 95.84 રૂપિયા થઈ ગઈ છે.

તાજેતરના ઘટાડા બાદ પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી ઘટીને 19.9 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ પર હવે તે 15.8 રૂપિયા પ્રતિ લીટર છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ તમામ રાજ્ય સરકારોને વાહન ઈંધણ પર સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ ઘટાડવાની અપીલ કરી હતી. વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટ જેવા સ્થાનિક કરમાં ભિન્નતાને કારણે કિંમતોમાં વિવિધતા જોવા મળે છે. અગાઉ 4 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં કેન્દ્ર સરકારે વાહનના ઈંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો. જેના કારણે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 32.9 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 31.8 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વેટમાં ઘટાડાથી મુખ્ય શહેરોમાં નવીનતમ ભાવ શું છે?

મુંબઈ-

એક લિટર પેટ્રોલ – 109.27 રૂપિયા એક લિટર ડીઝલ – 95.84 રૂપિયા

પૂણે-

એક લિટર પેટ્રોલ – 108.87 રૂપિયા એક લિટર ડીઝલ – 94 રૂપિયા

નાસિક-

એક લિટર પેટ્રોલ – 109.75 રૂપિયા એક લિટર ડીઝલ – 94.85 રૂપિયા

થાણે-

એક લિટર પેટ્રોલ – 109.41 રૂપિયા એક લિટર ડીઝલ – 95.98 રૂપિયા

રાજસ્થાન અને કેરલમાં પણ ભાવ ઘટાડો

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યો પર વેટ ઘટાડવાનું દબાણ વધ્યું છે. તે દબાણને જોતા કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તરત જ કેરળ અને રાજસ્થાને પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો હતો. કેરળ સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.41નો વેટ ઘટાડ્યો છે, જ્યારે ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.36નો વેટ ઘટાડ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ 11.91 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થયું છે. તેવી જ રીતે રાજસ્થાન સરકારે પણ કેન્દ્રના નિર્ણય બાદ જનતાને બમણી રાહત આપી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે લખ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ઘટાડવાના કારણે રાજ્ય સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.16નો વેટ ઘટાડશે. આ સાથે રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">