AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: અઘાડીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, શિવસેનાના સાંસદે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના દાવા પર કર્યો વળતો પ્રહાર

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રાવસાહેબ દાનવેના નિવેદનને યોગ્ય ઠેરવ્યું છે. તેમણે આજે પત્રકારોને જણાવ્યું હતું કે, 'નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા ભંડોળ આપવાનો ઈનકાર કરવાને કારણે શિવસેનાના ઘણા ધારાસભ્યોએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો.'

Maharashtra: અઘાડીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, શિવસેનાના સાંસદે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના દાવા પર કર્યો વળતો પ્રહાર
Sanjay Raut (File image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 4:15 PM
Share

મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વાતાવરણ ગરમાવા લાગ્યું છે. ભાજપના નેતા અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે (Raosaheb Danve BJP)ના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. દાનવેએ મોટો ખુલાસો કરતા કહ્યું છે કે મહા વિકાસ આઘાડી સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્ક છે. દાનવેના કહેવા પ્રમાણે ઠાકરે સરકારના આ 25 ધારાસભ્યો મહારાષ્ટ્રના વિધાનસભા સત્રનો બહિષ્કાર કરવા જઈ રહ્યા હતા.

હાલમાં પણ તેઓ ભાજપના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો ચૂંટણી નજીક આવશે તો બધા એક પછી એક બહાર આવશે અને ભાજપમાં જોડાશે. રાજસાહેબ દાનવેને ગઈ કાલે હોળીના દિવસે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ જ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut Shiv Sena) આજે તેમના નિવેદનનો જવાબ આપ્યો છે.

રાવસાહેબ દાનવેના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાવસાહેબ દાનવે જેમની વાત કરી રહ્યા છે તે 25 અસંતુષ્ટ ધારાસભ્યો કોણ છે તે જાણવા માટે લોકો ઉત્સુક છે. પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉતે રાવસાહેબ દાનવેના આ નિવેદનને પાયાવિહોણું અને તથ્યહીન ગણાવ્યું છે.

નશો ચડી જાય તો એમ જ લાગે જાણે, કાલે હોળી છે – સંજય રાઉત

આજે (19 માર્ચ, શનિવાર) મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, ‘કહેવાય છે કે હોળીમાં ભાંગ પીવો. પરંતુ જ્યાં સુધી હું જાણું છું, રાવસાહેબ દાનવે ભાંગ પીતા નથી. તેણે આવું કેમ કહ્યું, તે ફક્ત તે જ જાણતા હશે. મને આશ્ચર્ય થાય છે કે તેણે 25ને બદલે 75 કેમ ન કહ્યું? જો તેણે ભાંગ પીધી હોત તો રાત્રે નશો ઉતરી ગયો હોત. આજે તેઓ શું કહે છે, તે જોવાનું રહેશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ‘દાનવે સાચું બોલી રહ્યા છે, ઘણા ધારાસભ્યો સરકારથી નારાજ છે’

આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રાવસાહેબ દાનવેના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું. તેમણે આજે પત્રકારોને જણાવ્યું હતું કે ‘એનસીપી નેતા અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે ફંડ આપવાનો ઈનકાર કર્યા પછી શિવસેનાના ઘણા ધારાસભ્યોએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર પણ લખ્યો હતો. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સાબિત કર્યું હતું કે અજિત પવારે NCPને 57 ટકા ફંડ આપ્યું હતું. આ પછી શિવસેનાને સૌથી ઓછું અને કોંગ્રેસને સૌથી ઓછું ફંડ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં એનસીપી સિવાય અન્ય પાર્ટીઓના ધારાસભ્યો અસંતુષ્ટ છે. તમને જણાવી દઈએ કે અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રીની સાથે નાણા મંત્રી પણ છે.

આ પણ વાંચો :સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસેના જંગલ સફારીમાં લવાયેલાં 163 પશુ પક્ષીઓમાંથી 53નાં મોત થઈ ગયાં

આ પણ વાંચો :રાજસ્થાનના ધારાસભ્યના આક્ષેપનો ભાજપે આપ્યો વળતો જવાબ, પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યુ ”ભાજપ પોતાના જ ધારાસભ્યોને સાચવી નથી શકતી”

Follow Us
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
g clip-path="url(#clip0_868_265)">