Maharashtra Lockdown Updates : મહારાષ્ટ્રમાં ફરીથી લાગશે લોકડાઉન ? જાણો CM ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા દિવસ પર શું આપી ચેતવણી

CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતુ કે, ઓક્સિજનની (Oxygen) ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને, હાલમાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે અને જ્યારે પણ ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટશે, તે સમયે ફરીથી લોકડાઉન કરવામાં આવશે.

Maharashtra Lockdown Updates : મહારાષ્ટ્રમાં ફરીથી લાગશે લોકડાઉન ? જાણો CM ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા દિવસ પર શું આપી ચેતવણી
CM Uddhav Thackeray (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 4:08 PM

Maharashtra Lockdown Updates : સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આજે ​​મંત્રાલયના આંગણમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. ઉપરાંત સ્વતંત્રતા દિવસે તેમણે રાજ્યના લોકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે, “સ્વતંત્રતા મેળવવા માટે પોતાનું જીવન બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન.” વધુમાં કહ્યું કે મહાપુરુષોએ જ આપણને સ્વરાજ અને સ્વતંત્રતાનો અર્થ સમજાવ્યો છે.

સંબોધન દરમિયાન મુખ્યપ્રધાને ફરી એકવાર રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Corona Condition) અંગે ચર્ચા કરી. જે અંગે વાત કરતા તેમણે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉનની ચેતવણી આપી. તેમણે કહ્યું હતુ કે,”રાજ્યમાં ફરીથી જરૂર પડશે તો લોકડાઉન (Lockdown) લગાવવામાં આવશે.”

મુખ્યપ્રધાને ફરીથી લોકડાઉનની ચેતવણી આપી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આરોગ્ય સુવિધાઓ વધારી રહ્યા છીએ. ઉપરાંત ઓક્સિજનની (Oxygen) ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને લોકડાઉન સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે અને જ્યારે પણ ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટશે ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવશે.”

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) તેમના જાહેર સંવાદમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે, જો કોરોના દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત 700 મેટ્રિક ટનથી વધશે તો રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં વેક્સિનેશનનો નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં રસીકરણની ઝડપ વધી છે. 14 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં સાડા નવ લાખ લોકોને વેક્સિન (Vaccine) આપવામાં આવી હતી. આ અત્યાર સુધીનો એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે. ઉપરાંત કહ્યું કે, આપણે આપણા રાજ્ય અને દેશને કોરોના મુક્ત બનાવીને રહીશું.

આ પણ વાંચો: Maharashtra : રાજ્યના 68 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદક, CRPFના સુનિલ કાલેનું મરણોપરાંત કરવામાં આવ્યું સન્માન

આ પણ વાંચો: Maharashtra: ‘જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ED અને CBI લગાવી દેવાશે’, CM ઠાકરેના PAને વોટ્સએપ પર મળી ધમકી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">