AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

BKU નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, MSPની માગ ઉપરાંત સ્વામીનાથનના રિપોર્ટના અમલીકરણ અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

Mumbai : 'મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે', કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર
Kisan Mahapanchayat
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 4:15 PM
Share

Kisan Mahapanchayat: કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની મોદી સરકારની જાહેરાત બાદ પણ ખેડુતો તેની માગ પર અડગ જોવા મળી રહ્યા છે. ત્યારે આજે મહારાષ્ટ્રમાં 100 થી વધુ સંગઠનો દ્વારા મુંબઈના આઝાદ મેદાનમાં ‘કિસાન-મઝદૂર મહાપંચાયત’નું આયોજન કરવામાં આવ્ય હતુ. આ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે, 2011માં જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ફાઇનાન્સ કમિટિનો (Finance Committee) રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, આજે તેનો અમલ કરો. મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે, તો તેનો અમલ કેમ કરતા નથી.

અમે સરકારને શોધી રહ્યા છીએ : ટિકૈત

વધુમાં કહ્યુ કે,વડાપ્રઘાન મોદી આ સમિતિના વકીલ હતા. આજે તે ન્યાયાધીશ બની ગયા છે. તેઓએ વર્ષ 2011ની તેમની સમિતિની ભલામણનો અમલ કરવો જોઈએ. ખેડૂત નેતા ટિકૈતે કહ્યું કે રાજાએ દિલ્હીના (Delhi) મહેલના દરવાજા બંધ રાખ્યા છે. અમને અંદર જવા દેવામાં આવતા નથી. એક કમિટી બનાવો, પછી અમે વાતચીત માટે આગળ વધીશું. આ સિવાય તેમણે કહ્યું કે, MSP એક્ટની (Minimum Support Price) ગેરંટી લાગુ કરવી જોઈએ અને સરકારે 750 શહીદ ખેડૂતોના પરિવારને વળતર આપવું જોઈએ. અમે આખા દેશમાં સરકારને શોધી રહ્યા છીએ પરંતુ સરકાર ક્યાંય મળી રહી નથી.

ટ્રેક્ટર માર્ચ મોકુફ રાખવામાં આવી

તમને જણાવી દઈએ કે, ખેડૂત નેતાઓએ શનિવારે કહ્યું હતું કે યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ 29 નવેમ્બરે બોલાવવામાં આવેલી ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરે ખેડૂતોના વિરોધને એક વર્ષ પૂર્ણ થવા પર ખેડૂતોએ 29 નવેમ્બરના રોજ સંસદ તરફ ટ્રેક્ટર રેલી કાઢવાની જાહેરાત કરી હતી.

ખેડૂતોની આગામી બેઠક 4 ડિસેમ્બરે યોજાશે

ખેડૂત નેતા દર્શન પાલ સિંહે જણાવ્યુ હતુ કે, SKM તેની આગામી બેઠક 4 ડિસેમ્બરે યોજશે, જેમાં વડાપ્રધાનને (PM Modi) લખેલા તેના પત્ર અંગે સરકારના પ્રતિભાવનું વિશ્લેષણ કરવામાં આવશે અને તેના આધારે આગળની રણનિતી નક્કી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SKMએ 21 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છ માંગણીઓને લઈને એક પત્ર લખ્યો છે અને તેના પર સરકાર સાથે ફરી વાતચીત શરૂ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો : West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">