Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

ગૌતમ ગંભીરને 23 નવેમ્બરની રાત્રે પહેલો ઈમેલ મળ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગંભીરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે
Gautam Gambhir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:26 PM

પૂર્વ દિલ્હી મતવિસ્તારના ભાજપના સાંસદ (East Delhi BJP MP) અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને (Former Cricketer Gautam Gambhir) ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ લેવન્ટ (ISIS) કાશ્મીરના ઈમેલ આઈડી પરથી ત્રીજી ધમકી મળી છે. ગૌતમ ગંભીરને મોકલવામાં આવેલા મેલમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા કંઈ નહીં કરી શકે. અમારા જાસૂસો દિલ્હી પોલીસમાં હાજર છે અને અમે તમારા વિશે તમામ માહિતી મેળવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે, પૂર્વ દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર તરફથી એક અઠવાડિયામાં આ ત્રીજી ધમકી મળી છે. અગાઉ ગૌતમ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી.

બે મેઈલ મોકલીને ધમકી આપી હતી ગૌતમ ગંભીરને 23 નવેમ્બરની રાત્રે પહેલો ઈમેલ મળ્યો હતો, જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગંભીરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પરંતુ 24મીએ ફરીથી તેને એક ઈમેલ મળ્યો, જેમાં લખ્યું હતું કે ‘ગઈકાલે તને મારી નાખવાના હતા, બચી ગયા, કાશ્મીરથી દૂર રહો’. આ મેઈલ સાથે ગંભીરના ઘરની બહારનો એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. ગંભીરનો આરોપ છે કે આ ધમકી તેને ISIS કાશ્મીર દ્વારા આપવામાં આવી હતી.

Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
Plant in pot : ઘરે જ તૈયાર કરો જૈવિક ખાતર, આ રહી સાચી અને સરળ રીત
આજનું રાશિફળ તારીખ : 30-03-2025
શુભમન ગિલે IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવજોત સિદ્ધુએ પોતાના સંતાનને બોર્ડર પર મોકલવા જોઈએઃ ગૌતમ ગંભીર આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે નવજોત સિંહ સિદ્ધુના (Navjot Singh Sidhu) પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના મોટા ભાઈ હોવાના નિવેદન પર હુમલો કર્યો હતો. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક પાકિસ્તાની અધિકારી ઈમરાન ખાન વતી તેમનું સ્વાગત કરતા જોવા મળે છે અને તે કહેતા સાંભળવા મળે છે કે ખાન તેમના મોટા ભાઈ જેવા છે અને તે તેમને ખૂબ પ્રેમ કરે છે. જે બાદ ગૌતમ ગંભીરે કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુએ તેમના સંતાનને બોર્ડર પર મોકલવા જોઈએ.

કાશ્મીરમાં 40 નાગરિકો અને સૈનિકોની હત્યા પર સિદ્ધુ કોઈ ટિપ્પણી કરતા નથી: ગંભીર ઉલ્લેખનીય છે કે જો તેમના બાળકો સેનામાં હોત તો શું તેઓ કરતારપુર સાહિબમાં ઈમરાન ખાનને પોતાનો મોટો ભાઈ કહેતા હોત. ગંભીરે કહ્યું કે સિદ્ધુ છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં 40 નાગરિકો અને સૈનિકોની હત્યા પર ટિપ્પણી કરતા નથી અને જેઓ ભારતની સુરક્ષા કરવા માંગે છે તેમની વિરુદ્ધ જાય છે.

તેના પર ગૌતમ ગંભીરે કહ્યું કે, સિદ્ધુનું તેનાથી વધુ શરમજનક નિવેદન ન હોઈ શકે. તે પાકિસ્તાનના આર્મી ચીફ બાજવાને ગળે લગાવે છે, તે કરતારપુર સાહિબ જાય છે અને ઈમરાન ખાનને તેનો મોટો ભાઈ કહે છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ ભારતની રક્ષા કરવા માંગે છે અને દેશની વાત કરે છે ત્યારે સિદ્ધુએ સહકાર આપ્યો ન હતો. તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે?

આ પણ વાંચો : INDO-PAK Border : ભૂલથી પાકિસ્તાની નાગરિક આવી ચડ્યો ભારતીય સરહદમાં, પછી BSF એ કર્યું કઈક આવું…….

આ પણ વાંચો : Omicron Variant: કેન્દ્રના એલર્ટ બાદ રાજ્ય સરકારોએ વધારી કડકાઈ, જાણો ગુજરાત સહીત કયા રાજ્યમાં કેટલા બદલાયા નિયમો

g clip-path="url(#clip0_868_265)">