AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત

આ દર્દનાક અકસ્માતમાં વાહનના ડ્રાઇવર સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 પુરૂષો અને બાકીની 6 મહિલાઓ છે, મૃતકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ છે.

West Bengal: નદિયામાં ભયાનક માર્ગ અકસ્માત, સાઈડમાં પાર્ક કરેલ ટ્રક સાથે મેટાડોર અથડાતા 18 લોકોના મોત
Road Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:57 PM
Share

પશ્ચિમ બંગાળના (West Bengal) નદિયા (Nadiya) જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. સમાચાર મુજબ આ ઘટના શનિવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઉત્તર 24 પરગનાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાનગૃહ તરફ જઈ રહ્યા હતા. મેટાડોર ફુલબારી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

માહિતી અનુસાર, આ દર્દનાક અકસ્માતમાં વાહનના ડ્રાઇવર સહિત કુલ 18 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 પુરૂષો અને બાકીની 6 મહિલાઓ છે, મૃતકોમાં એક છ વર્ષની બાળકી પણ સામેલ છે. જાણવા મળ્યું છે કે ઉત્તર 24 પરગનાના બગદા પોલીસ સ્ટેશન વિસ્તારના પરમદાન વિસ્તારની રહેવાસી વૃદ્ધ મહિલા શ્રાબાની મુહુરીનું મૃત્યુ થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતી.

તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અને પડોશીઓ સહિત 40 લોકો ટ્રકમાં નવદ્વીપ જઈ રહ્યા હતા. રાત્રે 2 વાગ્યાની આસપાસ મેટાડોર નાદિયામાં ફુલબારી રમતના મેદાન પાસે સ્ટેટ રોડ પર પાર્ક કરેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું, મદદની ખાતરી આપી

અકસ્માત અંગે શોક વ્યક્ત કરતાં મમતા બેનર્જીએ કહ્યું કે, નદિયામાં થયેલા માર્ગ અકસ્માત વિશે સાંભળીને હૃદય તૂટી ગયું છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. પશ્ચિમ બંગાળ સરકાર પીડિતોના પરિવારોને તમામ જરૂરી મદદ અને સહાય પૂરી પાડશે. આ દુઃખદ સમયમાં અમે તમારી સાથે છીએ.

આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 6 લોકો ઘાયલ થયા જણાવી દઈએ કે નદિયા જિલ્લાના હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે સ્મશાન ભૂમિના માર્ગ પર થયેલા આ દર્દનાક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે, જેમાં 1 સગીર સહિત 10 પુરૂષ અને 7 મહિલાઓનો સમાવેશ થાય છે. બાકીના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન પોલીસે તમામને કૃષ્ણનગર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, 1 દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

આ પણ વાંચો : UPTETનુ પેપર વોટ્સએપ પર થયુ લીક, પરીક્ષા કરાઈ રદ્દ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">