Corona Third Wave: શું મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભી રહી છે? જાણો શું કહે છે નિષ્ણાંતો

Corona in Maharashtra: માત્ર 18 ટકા કોરોના દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, 82 ટકા બેડ ખાલી છે, મહારાષ્ટ્ર માટે રાહતની વાત છે.

Corona Third Wave: શું મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભી રહી છે? જાણો શું કહે છે નિષ્ણાંતો
Is Covid-19 third wave on decline in Maharashtra ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:19 PM

ગયા અઠવાડિયે મહારાષ્ટ્રમાં કોરોનાના (Corona in Maharashtra) કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવા લાગ્યા છે. જો બુધવાર સુધી નવા કેસ ઓછા આવતા રહે છે તો કહી શકાય કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) શાંત થવા લાગી છે. ચેપી રોગોના નિષ્ણાંત અને મહારાષ્ટ્રના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. સંજય ઓકે TV9 Bharatvarsh Digitalને જણાવ્યું ‘જે રીતે કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે અને રસીકરણ ઝડપથી થઈ રહ્યું છે, તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

વધુમાં ડો. સંજય ઓકે જણાવ્યું હતું કે ‘જો કે છેલ્લા બે દિવસના ડેટાના આધારે આ કહેવું થોડું વહેલું ગણાશે. આપણે ઓછામાં ઓછા બુધવાર સુધી એટલે કે આવતીકાલ સુધી રાહ જોવી જોઈએ. જ્યાં સુધી મુંબઈની વાત છે ત્યાં સુધી લગભગ નિશ્ચિતપણે કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણ રીતે ઠંડી પડી રહી છે. લહેર તેના ટોચ પર ત્યારે આવી જ્યારે મુંબઈમાં દરરોજ વીસ હજારથી વધુ કેસ આવતા હતા, હવે તે ઘટીને સરેરાશ પાંચ હજાર થઈ ગયા છે.

પરંતુ જ્યારે અમે TV9 ભારતવર્ષ ડિજિટલ વતી રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સના અન્ય નિષ્ણાંત ડૉ. સુભાષ સાળુંખે સાથે વાત કરી તો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ‘અત્યારે એવું નિવેદન જાહેર કરવા માટે કે કોરોનાની ત્રીજી લહેર થંભી રહી છે તે ઉતાવળ હશે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી મરી રહ્યા છે અને જો આપણે 1થી 16 જાન્યુઆરી વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો મૃત્યુ પામેલા લોકોમાંથી 89 ટકા વૃદ્ધો છે. એટલે કે, આવા વૃદ્ધ લોકો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તે માન્ય છે કે મુંબઈમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં આવી રહ્યો છે. કારણ કે મુંબઈમાં રસીકરણની ગતિ ઝડપી છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે મહારાષ્ટ્રના 20 જિલ્લાઓમાં રસીકરણ 60 ટકાથી ઓછું છે. જ્યાં સુધી રસીકરણ યોગ્ય રીતે કરવામાં ન આવે ત્યાં સુધી કોરોનાના કેસ વધતા રહેશે. નવી લહેરો આવતી રહેશે અને જતી રહેશે.

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 31,111 કેસ નોંધાયા અને 24 લોકોના મોત થયા. એ જ રીતે સોમવારે મુંબઈમાં 5, 976 કેસ નોંધાયા હતા અને 12 લોકોના મોત થયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના 122 નવા કેસ પણ નોંધાયા છે. આ સંખ્યા નાની નથી. પરંતુ એ પણ હકીકત છે કે આંકડાઓ નીચે આવવા લાગ્યા છે. માત્ર 18 ટકા કોરોના દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે, 82 ટકા બેડ ખાલી છે, તે મહારાષ્ટ્ર માટે રાહતની વાત છે.

આ પણ વાંચો – Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો – Maharashtra: મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલા ફિરંગીના પ્રેમમાં પડી યુવતી, ગીફ્ટના ચક્કરમાં લૂટાવી દીધા 62 લાખ રૂપિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">