Maharashtra: શિવસેનાના નેતા યશવંત જાધવના મુંબઈ સ્થિત ઘરે સતત ત્રીજા દિવસે પણ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો કાર્યવાહીમાં શું હાથ લાગ્યું ?

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ અને તેમના નજીકના લોકોના ઘરો અને મિલકતો પર સતત ત્રીજા દિવસે દરોડા પાડવાનું ચાલુ રાખ્યુ.

Maharashtra: શિવસેનાના નેતા યશવંત જાધવના મુંબઈ સ્થિત ઘરે સતત ત્રીજા દિવસે પણ ઈન્કમ ટેક્સના દરોડા, જાણો કાર્યવાહીમાં શું હાથ લાગ્યું ?
Shiv Sena Leader Yashwant Jadhav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 12:11 AM

આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિવસેનાના નેતા યશવંત જાધવ (Yashwant Jadhav) અને તેમના નજીકના લોકોના ઘરો અને મિલકતો પર સતત ત્રીજા દિવસે દરોડા (Income Tax Raids) પાડવાનું ચાલુ રાખ્યુ. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ અત્યાર સુધીમાં કેટલાક મહત્વપૂર્ણ કાગળો, દસ્તાવેજો અને બે કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ લાંબા સમયથી જાધવ દ્વારા પસાર કરવામાં આવેલા BMCના તમામ ટેન્ડરના ઓડિટની માગ કરી રહ્યા છે. તમામ ટેન્ડર BMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આદેશથી જ પસાર કરવામાં આવે છે અને તેમને સંબંધિત ચુકવણી મંજૂર કરવામાં આવે છે. યશવંત જાધવ BMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે અને આ કેસોમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ શુક્રવારે સવારે 5:30 વાગ્યે મઝગાંવ સ્થિત યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન યશવંત જાધવની ઘરે પણ પૂછપરછ શરૂ થઈ હતી. અધિકારીઓએ જાધવના ઘરેથી ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો અને કાગળો જપ્ત કર્યા હતા.

શનિવારે પણ આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડવાનું ચાલુ રાખ્યુ હતું. આ દરોડામાં આવકવેરા વિભાગના અધિકારીઓએ દસ્તાવેજો અને કાગળો સિવાય બે કરોડ રોકડ પણ જપ્ત કરી છે. રવિવારે જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓની તપાસ અને પૂછપરછ હજુ ચાલુ છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

સંજય રાઉતે કહ્યું, ‘કંઈ નહી મળે  શોધતા રહી જશો’

સતત ત્રીજા દિવસે યશવંત જાધવના ઘર અને તેમના નજીકના લોકોના ઠેકાણાં પર દરોડાના મુદ્દે રવિવારે પત્રકારોએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની પ્રતિક્રિયા જાણવા માંગી. સંજય રાઉતે કહ્યું, ‘મને લાગે છે કે માત્ર મહારાષ્ટ્રમાં જ આવક છે અને ટેક્સ છે. ભાજપ શાસિત રાજ્યોમાં કોઈ આવક પણ નથી અને ટેક્સ પણ નથી. મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણી આવી ગઈ છે. એટલા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ મહારાષ્ટ્રમાં જ કામ છે. જે શોધવા માંગે છે તે તેમને શોધવા દો, શોધતા જ રહી જશો.

‘BMC ની ચૂંટણી છે, તેથી ભાજપનું દબાણ છે, મહારાષ્ટ્ર ઝુકશે નહીં’

સંજય રાઉતે કહ્યું, જનતા જોઈ રહી છે. મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. દેશ જોઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સૌથી વધુ ટેક્સ ચૂકવે છે. મહારાષ્ટ્રની જનતાને હેરાન કરવાનું કામ શરૂ થયું છે. અમે આ બધું સહન કરી લઈશું પણ મહારાષ્ટ્ર ઝુકશે નહીં.

આ પણ વાંચો :  મુંબઈના ઘણા ભાગોમાં પાવર કટના મુદ્દે મહારાષ્ટ્ર સરકાર ગંભીર, ઉર્જા મંત્રી નીતિન રાઉતે આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ 

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">