Maharashtra: સતત વધી રહેલા કોરોનાના કેસથી સરકાર ચિંતિત, 1 લાખથી વધુ સક્રિય કેસ

Maharashtraમાં કોરોના વાઈરસના કેસોમાં ઉછાળાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતામાં છે. રાજ્યની ઉદ્ધવ સરકાર લોકડાઉન, જનતા કર્ફ્યુ સહિતના વિવિધ પ્રકારના નિયંત્રણોનો અમલ કરી રહી છે

Maharashtra: સતત વધી રહેલા કોરોનાના કેસથી સરકાર ચિંતિત, 1 લાખથી વધુ સક્રિય કેસ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 11, 2021 | 9:06 PM

Maharashtraમાં કોરોના વાઈરસના કેસોમાં ઉછાળાને પગલે રાજ્ય અને કેન્દ્ર સરકાર ચિંતામાં છે. રાજ્યની ઉદ્ધવ સરકાર લોકડાઉન, જનતા કર્ફ્યુ સહિતના વિવિધ પ્રકારના નિયંત્રણોનો અમલ કરી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે વાયરસને હળવાશથી ન લેવા જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે તે મહારાષ્ટ્રના કેસની સંખ્યા અંગે ચિંતિત છે. Maharashtraમાં દરરોજ હજારો નવા કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના દૈનિક પ્રેસ બ્રીફિંગમાં એનઆઈટીઆઈ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો થવોએ ખૂબ ગંભીર બાબત છે. તેથી આ વાયરસને હળવાશથી લેવો નહીં અને જો આપણે કોરોના મુક્ત થવું હોય તો આપણે કોવિડ -19ની યોગ્ય સુરક્ષા પદ્ધતિઓનું પાલન કરવું પડશે.

સરકારે કહ્યું કે આ રોગચાળાને લડવા માટે કોવિડ-યોગ્ય વર્તન, નિયંત્રણની વ્યૂહરચના, રસીકરણ જરૂરી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ સક્રિય કેસ છે. અમે અનેક રાજ્યો સાથે બેઠકો કરી છે જ્યાં તેઓને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આઈસીએમઆર ડીજી ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં ચિંતાજનક વલણ દર્શાવવામાં આવ્યું છે. આ ઉછાળાના કેસોમાં મ્યુટન્ટ સ્ટ્રેન્સ મળ્યાં નથી. સરકારે એમ પણ કહ્યું કે કેરળમાં કોવિડ -19ના સક્રિય દર્દીઓની સંખ્યા લગભગ અડધાથી ઓછી થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં બમણી કરતા વધારે થઈ ગઈ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહારાષ્ટ્રમાં મુંબઈ, નાગપુર, પુણે શહેરોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. નાગપુરમાં કોરોનાના કેસો વધતા રાજ્યની ઉદ્ધવ સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. સરકારે 15 માર્ચથી 21 માર્ચ દરમિયાન નાગપુર શહેરમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. શરૂઆતથી મહારાષ્ટ્રમાં કોરોનામાં વધુ કેસ છે. મોટી વાત એ છે કે રાજ્યમાં આ વર્ષે એક જ દિવસમાં કોરોના સૌથી વધુ 13,659 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Infosysના સહ-સ્થાપક નંદન નીલેકણીએ કહ્યું, દેશમાં વર્ક ફ્રોમ હોમ હજુ ચાલુ રહેશે

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">