Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મરાઠા યોદ્ધાની બહાદૂરી જોઈ ખુદ ઔરંગઝેબ બોલી ઉઠયો હતો કે મારા ચાર પુત્ર માંથી જો એક પણ તારા જેવો હોત તો મે ક્યારનુંય હિંદુસ્તાન જીતી લીધુ હોત!

છત્રપતિ મહારાજના મૃત્યુ બાદ ઔરંગઝેબ એવુ વિચારવા લાગ્યો હતો કે હવે તે આરામથી દક્ષિણ પર કબજો કરી શકશે. જો કે આ તેની મોટી સૌથી મોટી ભૂલ હતી. કારણ કે ઔરંગઝેબની સામે એક મજબુત ઢાલ તૈયાર થઈ ગઈ હતી. જેમણે મરાઠાઓને ઔરંગઝેબ સામે ઘૂંટણીયે પડતા બચાવી લીધા હતા. એ બહાદૂર મરાઠા સમ્રાટ 9 વર્ષમાં 120 થી વધુ યુદ્ધો લડ્યા અને તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમણે મુઘલોના નાકમાં દમ કરી નાખ્યો હતો અને ઔરંગઝેબની ઉંઘ હરામ.

આ મરાઠા યોદ્ધાની બહાદૂરી જોઈ ખુદ ઔરંગઝેબ બોલી ઉઠયો હતો કે મારા ચાર પુત્ર માંથી જો એક પણ તારા જેવો હોત તો મે ક્યારનુંય હિંદુસ્તાન જીતી લીધુ હોત!
Follow Us:
| Updated on: Feb 28, 2025 | 7:08 PM
છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ બાદ ગાદી પર આવ્યા તેમના પુત્ર  છત્રપતિ સંભાજી મહારાજ.  જેને છાવા પણ કહેવામાં આવે છે. સંભાજી મહારાજ એક એવા યૌદ્ધા હતા જેમણે 9 વર્ષમાં 120થી વધુ યુદ્ધો લડ્યા. પરંતુ તેમાંથી એકપણ યુદ્ધ હાર્યા ન હતા. તેમના પિતાના ‘હિંદવી સ્વરાજ અભિયાન’ને તેમણે એક નવી ઉંચાઈ આપી.
સંભાજી મહારાજના કારનામાઓથી ઓરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી. છેવટે, તેમણે સંભાજીને દગાથી કેદ કર્યા અને તેમના પર અત્યાચાર ગુજારવામાં ક્રુરતા અને બર્બરતાની તમામ હદો પાર કરી નાખી. છતા પણ મરાઠાઓનો ધ્વજ ઓરંગઝેબની સામે ક્યારેય નમ્યો નહીં. સંભાજી મહારાજના મનોબળને તોડવા માટે ઔરંગઝેબે તેમને તડપાવી તડપાવીને માર્યા, પરંતુ સિંહ જેવા કાળજાના સંભાજી મહારાજ છેલ્લા શ્વાસ સુધી તેની સામે ઝુક્યા નહીં.

કોણ હતા સંભાજી મહારાજ?

સંભાજી રાજે શિવાજી મહારાજની પહેલી અને પ્રિય પત્ની સાઈબાઈના પુત્ર હતા. તેનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર કિલ્લામાં થયો હતો. સંભાજીએ માત્ર 2 વર્ષની ઉમરે તેમની માતા ગુમાવી. જે બાદ તેમનો ઉઠેર દાદી જીજાબાઈએ કર્યો. સંભાજી મહારાજ શાસ્ત્રો લખવા અને શસ્ત્રો ચલાવવા બંનેમાં પારંગત હતા. માત્ર નવ વર્ષની ઉંમરે, છત્રપતિ શિવાજી મહારાજે તેમના પુત્રને સ્વરાજની તાલીમ આપવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણે, જ્યારે નવ વર્ષના સંભાજી મહારાજ શિવાજી સાથે આગ્રા ગયા, ત્યારે તેમને 1500 કિલોમીટરના લાંબા પ્રવાસમાં કોઈ મુશ્કેલી નહોતી પડી. જ્યારે આગ્રામાં શિવાજીને ઔરંગઝેબે બંદી બનાવી કેદ કરી લીધા ત્યારે સંભાજી એ  જ તેમના જાસુસનું કામ કર્યુ. તે એ સમય હતો જ્યારે સમગ્ર દેશમાં મુઘલ સલ્તનતનો દબદબો હતો. ત્યા સુધી કે પહેરવેશમાં પણ કુરતા અને અચકન જેવા મુઘલ કપડાંનો પ્રચાર થયો હતો.
બંદી બનેલા શિવાજીએ સંભાજીની મદદનો ખૂબ લાભ ઉઠાવ્યો. પહેલા તો તેઓ એક ટોકરીમાં પોતાને બંધ કરીને બહાર નીકળ્યા અને ત્યારબાદ વેશપલટો કરી પલાયન થઈ ગયા. આ વેશપલટા માટે પણ તેમણે એવા જ કોઈ કપડાનો ઉપયોગ કર્યો હશે જે મુઘલ યુગમાં બહુ પહેરાતા હશે.

સત્તા સંભાળતા જ સંભાજી રાજેએ મુઘલો પાસેથી દક્ષિણમાં બુરહાનપુર જીતી લીધુ

વર્ષ 1680માં શિવાજીના મૃત્યુ બાદ સંભાજીએ ગાદી સંભાળી અને ગાદી પર બેસતાં જ મુઘલોને પડકાર ફેંકવાનું શરૂ કર્યુ. વર્ષ 1681માં, તેમણે દક્ષિણના પ્રવેશદ્વાર બુરહાનપુરને જીતી લીધું હતું. પછી, તેમણે નવાબપુરા અને બહાદુરપુરા જેવી જગ્યાઓ જીતી લીધી, અને ખુર્રમપુર જેવા 17 ગામોનો નાશ કરી દીધો. તેમણે મુઘલોના ખજાનામાં રહેલા સોના-ચાંદી, હીરા-મોતી અને ઘરેણાં લૂંટી લીધા અને રાજધાની બુરહાનપુરને આગને હવાલે કરી દીધી.  ત્યારબાદ ઓરંગાબાદને પણ સંભાજી મહારાજે ઓરંગઝેબ પાસેથી છીનવી લીધું. આ બધું ચાલુ  જ હતું  ત્યાં ઓરંગઝેબના બળવાખોર પુત્ર અકબર બીજાને સંભાજી મહારાજે આશ્રય આપ્યો.

સંબંધી શિરકેએ દગો કરતા સંભાજીને ઔરંગઝેબે બંદી બનાવ્યા

ઓરંગઝેબે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ સંભાજીને પકડી ન શક્યો. અંતમાં 1687માં, મરાઠા અને મુઘલ સૈન્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મરાઠાઓ જીત્યા, પરંતુ તેમનું સૈન્ય ઘણુ નબળું પડી ગયું. આ ઉપરાંત સંભાજીના સેનાપતિ અને વિશ્વાસુ હંબીરરાવ મોહિતે આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા. આ સમય દરમિયાન, સંભાજી સામે ષડયંત્રો વધી ગયા. તેમની જાસુસી થવા લાગી. જેમા તેમના સંબંધી શિરકે પરિવારની મોટી ભૂમિકા હતી. ફેબ્રુઆરી 1689માં, જ્યારે સંભાજી એક બેઠકમાં ભાગ લેવા સંગમેશ્વર ગયા, ત્યારે છટકુ ગોઠવી તેમના પર હુમલો કરવામાં આવ્યો. મુઘલ સરદાર મુકર્રમ ખાનના નેતૃત્વમાં સંભાજીના બધા સરદારોને મારી નાખવામાં આવ્યા. સંભાજી અને તેમના સલાહકાર કવિકલાશને પકડી, બંદી બનાવીને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા.

 સંભાજી મહારાજ સામે ઔરંગઝેબે ઈસ્લામ કબૂલ કરવાનો પ્રસ્તાવ મુક્યો

ઓરંગઝેબે સંભાજીને એક પ્રસ્તાવ મૂક્યો: ઓરંગઝેબને બધા કિલ્લા સોંપીને ઈસ્લામ કબૂલ કરવાનો પ્રસ્તાવ. જો સંભાજી આ પ્રસ્તાવ સ્વીકારી લે તો તેમને જીવિત બક્ષવાનુ વચન આપ્યુ. પરંતુ સંભાજી રાજેએ તેના પ્રસ્તાવને ફગાવી દીધો. જ બાદ શરૂ થયો ટોર્ચર અને અપમાનિત કરવાનો એક લાંબો સિલસિલો. ઈસ્લામ કબૂલ કરવાનો ઈનકાર કરતા સંભાજી રાજે અને કવિકલાશને જોકરોના કપડા પહેરાવીને સમગ્ર શહેરમાં પરેડ કરાવવામાં આવી. આ દરમિયાન તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ભાલા પણ ભોંકવામાં આવ્યા.
 

સંભાજીની જીભ કાપી નાખી, આંખો કાઢી લેવામાં આવી

અત્યાચારોનો આ સિલસિલો આટલાથી ન અટક્યો. જે બાદ ફરીથી તેમને ઈસ્લામ કબૂલ કરવાનું કહેવામાં આવ્યું. ફરીથી ઈનકાર કરતાં, તેમને વધુ યાતનાઓ આપવામાં આવી. બંને કેદીઓની જીભ કાપી નાખવામાં આવી, આંખો કાઢી નાખવામાં આવી. આ અંગે યુરોપિયન ઈતિહાસકાર ડેનિસ કિન્કેડ લખે છે: “બાદશાહે તેમને ઈસ્લામ કબૂલ કરવાનો આદેશ આપ્યો. ઈનકાર કરતાં તેમને ખૂબ માર મારવામાં આવ્યા. ફરીથી પૂછવા પર પણ સંભાજીએ ઈનકાર કર્યો. આ વખતે, તેમની જીભ ખેંચી લેવામાં આવી. ફરીથી પૂછવા પર સંભાજીએ લખવાની સામગ્રી મંગાવી અને લખ્યું: જો બાદશાહ પોતાની દીકરી પણ આપી દે, તો પણ હું ઈસ્લામ કબૂલ નહીં કરું. પછી, તેમને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યા.”

રોજ સંભાજીના શરીરમાંથી માંસના ટૂકડા કાઢી કૂતરાને ખવડાવવામાં આવતા

ઈતિહાસકાર લખે છે કે સંભાજીના ઘા પર મીઠું છાંટવામાં આવતુ હતું, આંખમાં મરચાં નાખવામાં આવ્યા હતા, વાળ ખેંચવામાં આવતા હતા, શરીરમાંથી માંસના ટુકડા કાઢી-કાઢીને કુતરાઓને ખવડાવવામાં આવ્યા હતા, આંગળીઓ કાપી નાખવામાં આવી હતી, હાથ કાપી નાખવામાં આવ્યા હતા, જીભ કાપી નાખવામાં આવી હતી, રોજે-રોજ શરીરના એક-એક અંગને કાપવામાં આવતુ હતુ.  આ રીતે, 11 માર્ચ 1689ના રોજ, તેમના શરીરના ટુકડા કરીને તેમની હત્યા કરવામાં આવી.

ઔરંગઝેબે સંભાજીના પત્ની અને પુત્રને કેદ કરી લીધા

આ સમયની એક કિવદંતી આજે પણ  મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે. કહેવાય છે કે મૃત્યુ પહેલાં, ઓરંગઝેબે સંભાજીને કહ્યું હતું: “જો મારા ચાર પુત્રોમાંથી એક પણ તારા જેવો હોત, તો સમગ્ર હિંદુસ્તાન ક્યારનું મુઘલ સામ્રાજ્યમાં ભળી ગયું હોત.” આ સંભાજીની બહાદુરીની પ્રશંસા હતી. પરંતુ, ઓરંગઝેબ અહીં જ ન અટક્યો. તેના આદેશથી મુઘલ સરદાર ઝુલ્ફિકાર ખાને ગઢ કિલ્લા પર હુમલો કરી સંભાજીની પત્ની રાણી યશુબાઈ અને તેમના સાત વર્ષના પુત્ર શાહુજી મહારાજને કેદ કરી લીધા. જોકે, આ હુમલામાં સંભાજી મહારાજના નાના ભાઈ રાજારામ મહારાજ બચી ગયા.

સંભાજીની મૃત્યુ બાદ મરાઠાઓ બદલો લેવા મરણિયા બન્યા

સંભાજીના મૃત્યુ બાદ સમગ્ર મરાઠા સામ્રાજ્ય પર સંકટના વાદળો છવાઈ ગયા. બધાને લાગ્યું કે હવે મરાઠાઓનો સૂર્ય અસ્ત થઈ જશે. પરંતુ એવું બિલકુલ થયું નહીં. ઓરંગઝેબની બધી મહેનત પર પાણી ફરી ગયુ કારણકે મરાઠાઓ સંભાજીની હત્યાનો બદલો લેવા માટે હવે મરણિયા બન્યા હતા. એક તરફ ઓરંગઝેબની 9 લાખની સેના હતી, જ્યારે બીજી બાજુ મરાઠાઓ માત્ર 20,000 થી 50,000 હતા, છતાં મરાઠાઓને ઓરંગઝેબનો સામનો કરવામાં  મુશ્કેલી ન પડી. આ કટોકટીના સમયમાં, છત્રપતિ રાજારામને કમાન્ડ સોંપવામાં આવી. જે માત્ર 19 વર્ષનો સંભાજી મહારાજનો નાનો ભાઈ હતો. પરંતુ આ સમયે બીજા બે એવા લોકોની એન્ટ્રી થઈ જેમણે મરાઠા સામ્રાજ્યને નવી ઉંચાઈ પર પહોંચાડવાનું કામ કર્યું.

 સંભાજી બાદ નાનાભાઈ રાજારામે ઔરંગઝેબની સેના સામે મોરચો સંભાળ્યો

તેમના નામ હતા સંતાજી ઘોરપડે અને સરસેનાપતિ ધનાજી જાધવ. જોકે, સુર્યાજી પિશાલ નામના એક મરાઠા સરદારની ગદ્દારીને કારણે રાયગઢના કિલ્લા પર મુઘલોએ કબજો કરી લીધો. પરંતુ સંભાજીના પત્ની  યશુબાઈની મદદથી રાજારામ ભાગવામાં સફળ રહ્યા. મુઘલોના હુમલાઓ સતત ચાલુ હતા અને રાજારામ કોઈ પ્રકારે બચીને પ્રતાપગઢ અને ત્યાંથી વિશાળગઢ કિલ્લાની સુરક્ષામાં પહોંચ્યા. જોકે મુઘલોએ તેમનો પીછો કર્યો. આ દરમિયાન, ઝુલ્ફિકાર ખાનના નેતૃત્વમાં મુઘલ સૈન્ય દક્ષિણ તરફ આગળ વધી રહ્યું હતું.  તેથી મરાઠાઓને લાગ્યું કે વિશાળગઢ પર પણ કબજો કરી શકાય છે.
આ જ કારણથી છત્રપતિ રાજારામે જિંજીના કિલ્લા તરફ રવાના થયા અને જિંજી મરાઠા સામ્રાજ્યનું નવું રાજધાની બન્યું. રાજારામના આ રીતે બચી જવાથી મુઘલો ગિન્નાયા હતા અને જિંજી પર હુમલો કરવાના ઈરાદાથી મુઘલ સૈન્યનો એક ટૂકડી દક્ષિણ તરફ આગળ વધી. પરંતુ, સંતાજી ઘોરપડે અને ધનાજી જાધવે તેમને અધવચ્ચે જ અટકાવી દીધા. ધનાજી અને સંતાજીએ પહેલા મુઘલ સેના પર હુમલો કર્યો અને બાકીના મરાઠા સરદારોએ મુઘલ સેનાને મહારાષ્ટ્રની આસપાસ ઉલઝાવી રાખ્યું. આનાથી દક્ષિણમાં મુઘલો બે ભાગમાં વહેંચાઈ ગયા: ઉત્તર કર્ણાટક અને મહારાષ્ટ્ર. જે બાદ મરાઠાઓએ સુરતથી દક્ષિણ જતા રસ્તાને પણ રોકી લીધો
આ સમગ્ર યુદ્ધ દરમિયાન મુઘલો નબળા પડતા ગયા અને મરાઠાઓ નવા ક્ષેત્રો પર કબજો કરતા ગયા. પરંતુ પછી એવું બન્યું કે મરાઠા સામ્રાજ્ય પર મોટો ખતરો મંડરાવા લાગ્યો. વર્ષ 1700માં, બીમારીને કારણે છત્રપતિ રાજારામનું મૃત્યુ થયું. તેમનો પુત્ર શિવાજી બીજા માત્ર ચાર વર્ષનો હતો. તેથી એક મોટો સવાલ ઊભો થયો કે મરાઠા સામ્રાજ્યની સત્તા હવે કોણ સંભાળશે? આ નાજુક સમયમાં, જ્યારે મુઘલો સતત હુમલા કરી રહ્યા હતા, ત્યારે મરાઠા સામ્રાજ્યના ભંગનો ભય હતો. રાજમાતા તારાબાઈએ મરાઠાઓની સત્તા સંભાળી અને તેમને સંકટમાંથી બહાર કાઢ્યા. 1707માં, ઓરંગઝેબનું મૃત્યુ થયું. ઓરંગઝેબે શિવાજી અને તેમના બે પુત્રોનું મૃત્યુ જોયું, જેમાંથી એક મહાન પુત્રની નિર્દય હત્યાનો તે ખુદ જવાબદાર હતો. જો કે ઓરંગઝેબના જીવિત રહેતા સુધી અને એ પછી પણ તેને દક્ષિણ પર સંપૂર્ણ વિજય ન મળ્યો તે ન જ મળ્યો અને મુઘલોની સત્તા આગ્રા અને દિલ્હી સુધી જ સિમિત રહી ગઈ. ઓરંગઝેબના મૃત્યુ પછી મરાઠાઓ સતત પોતાની શક્તિ વધારતા રહ્યા અને એક સમય એવો પણ આવ્યો જ્યારે મુઘલોની સત્તા સંકોચાઈ ગઈ અને મરાઠાઓના હાથમાં આવી ગઈ.
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
g clip-path="url(#clip0_868_265)">