ટ્રાન્સજેન્ડરોના અનામત પર બોમ્બે હાઈકોર્ટનુ આકરૂ વલણ, સરકાર પાસે માગ્યો રિપોર્ટ

બોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોના અનામત માટે મહારાષ્ટ્ર સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

ટ્રાન્સજેન્ડરોના અનામત પર બોમ્બે હાઈકોર્ટનુ આકરૂ વલણ, સરકાર પાસે માગ્યો રિપોર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:07 PM

Maharashtraબોમ્બે હાઈકોર્ટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોને અનામત આપવા અંગે મહારાષ્ટ્ર સરકારને અનેક સવાલો કર્યા. આ મામલે સરકારની યોજના અને વિચાર શું છે તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 15 સભ્યોની સમિતિને આ આદેશ આપ્યો છે. એડવોકેટ જનરલ બિરેન્દર સરાફ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગે આ મામલે એક સમિતિની રચના કરી છે.

15 સભ્યોની સમિતિને આ આદેશ આપ્યો

તેના પર ચીફ જસ્ટિસ સંજય ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે કમિટીને આ સૂચના આપી હતી. આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન લિમિટેડની નોકરીઓમાં ભરતી માટે એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

ટ્રાન્સજેન્ડર્સને આ નોકરીઓમાં અનામતનો લાભ મળવો જોઈએ, તેથી તેને લગતી જાહેરાતમાં ફેરફાર કરવામાં આવે તેવી માગણી કરીને એડવોકેટ ક્રાંતિ એલ.સી. દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કંપની વતી કોર્ટને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારની જે પણ ભૂમિકા હશે, કંપની તેના આધારે નિર્ણય લેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજ્ય સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી  ?

છેલ્લી સુનાવણી દરમિયાન અગાઉ આપેલા આદેશ પર રાજ્ય સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે ? બેન્ચના આ સવાલ પર એડવોકેટ જનરલ બિન્દ્રાએ કમિટીની રચના અંગે માહિતી આપી અને રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય માંગ્યો. બાદમાં કોર્ટે આ માંગણી સ્વીકારી હતી.

અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે કર્ણાટકમાં જે રીતે તમામ જાતિ અને વર્ગો માટે 1 ટકા અનામત આપવાની જોગવાઈ છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં કેમ ન થઈ શકે. આપને જણાવી દઈએ કે 3 માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા રોજગાર અને શિક્ષણમાં ટ્રાન્સજેન્ડરોની ભરતી માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

જે અંતર્ગત કમિટીની રચના કરવામાં આવી હતી. સમિતિની પ્રથમ બેઠક 28 માર્ચ યોજાશે. આ બેઠકમાં ટ્રાન્સજેન્ડરોને અનામત આપવાનો માર્ગ નક્કી કરવામાં આવશે. હવે જોવાનું રહેશે કે ટ્રાન્સજેન્ડરોને અનામત આપવાના મામલે આ સમિતિ આગામી ત્રણ મહિનામાં શું રિપોર્ટ લાવે છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">