નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી

કોર્ટે નવાબ મલિકને ચેતવણી પણ આપી છે કે તે યોગ્ય તપાસ કર્યા પછી આવી કોઈપણ માહિતી જાહેર કરે જેથી જ્ઞાનદેવ વાનખેડેના અધિકારનું ઉલ્લંઘન ન થાય. કોર્ટે કહ્યું, કોઈપણ અધિકારી વિશે કોઈ નિવેદન આપતા પહેલા માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.

નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:57 PM

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) સોમવારે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) પિતા જ્ઞાનદેવ વાનખેડેની માગને ફગાવી દીધી હતી. જ્ઞાનદેવ વાનખેડેએ કોર્ટને એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકને (Nawab Malik) તેમના અને તેમના પરિવાર વિશે બોલવા અને તે માહિતીને સોશિયલ મીડિયા પર જાહેર કરવાથી રોકવાની અપીલ કરી હતી. તેનાથી તેના પરિવારની બદનામી થઈ રહી છે. કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નવાબ મલિકનો મૂળભૂત અધિકાર છે. તેથી તેને રોકી શકાય તેમ નથી.

આ સાથે કોર્ટે નવાબ મલિકને ચેતવણી પણ આપી છે કે તે યોગ્ય તપાસ કર્યા પછી આવી કોઈપણ માહિતી જાહેર કરે જેથી જ્ઞાનદેવ વાનખેડેના અધિકારનું ઉલ્લંઘન ન થાય. કોર્ટે કહ્યું, કોઈપણ અધિકારી વિશે કોઈ નિવેદન આપતા પહેલા માહિતીની ચકાસણી કરવી જરૂરી છે. નવાબ મલિકના આરોપો સંપૂર્ણપણે ખોટા છે, અત્યારે આ કહેવું યોગ્ય નથી. નવાબ મલિક પોસ્ટ કરી શકે છે. પરંતુ કોઈપણ માહિતી સાર્વજનિક કરતા પહેલા, તેઓએ તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, પછી તેને પોસ્ટ કરવી જોઈએ.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નવાબ મલિકે ટ્વિટ કર્યું

આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે આ મામલામાં આગામી સુનાવણી હવે 20 ડિસેમ્બરે થશે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નવાબ મલિકે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું, “સત્યમેવ જયતે, અન્યાય સામેની લડાઈ ચાલુ રહેશે. જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે કે તે જન્મથી મુસ્લિમ છે. તેમના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ ધર્મ બદલી નાખ્યો હતો.

સમીર વાનખેડેએ પણ પોતાના પહેલા લગ્નના નિકાહનામામાં પોતાને મુસ્લિમ ગણાવ્યો છે. આ હોવા છતાં, તેણે અનામતનો લાભ લેવા માટે નકલી દસ્તાવેજો બતાવ્યા અને પોતાનો ધર્મ છુપાવ્યો. આમ કરીને તેણે દલિત યુવકનો અનામતનો અધિકાર છીનવી લીધો છે અને તેને આઈઆરએસની નોકરી મેળવી છે.

નવાબ મલિકે સમીર વાનખેડે પર આર્યન ખાનનું અપહરણ કરવા અને તેને ડ્રગ્સના કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે સમીર વાનખેડે પરિવારની આવી ઘણી વધુ માહિતી જાહેર કરી છે. તેણે કહ્યું છે કે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરની બહેનનું નામ પુણેના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું છે. આ તમામ બાબતોની ફરિયાદ લઈને સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

આ પણ વાંચો : Mumbai Local Train પકડવાના ચક્કરમાં મહિલા પડી ગઈ, ગાર્ડની સતર્કતાએ બચાવ્યો જીવ, જુઓ Video

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">