AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી

કોર્ટે નવાબ મલિકને ચેતવણી પણ આપી છે કે તે યોગ્ય તપાસ કર્યા પછી આવી કોઈપણ માહિતી જાહેર કરે જેથી જ્ઞાનદેવ વાનખેડેના અધિકારનું ઉલ્લંઘન ન થાય. કોર્ટે કહ્યું, કોઈપણ અધિકારી વિશે કોઈ નિવેદન આપતા પહેલા માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.

નવાબ મલિકને બોલવાનો અધિકાર છે, પરંતુ માહિતીની ચકાસણી જરૂરી, બોમ્બે હાઈકોર્ટે સમીર વાનખેડેના પિતાની માગને ફગાવી
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:57 PM
Share

મુંબઈ હાઈકોર્ટે (Bombay High Court) સોમવારે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના (Sameer Wankhede) પિતા જ્ઞાનદેવ વાનખેડેની માગને ફગાવી દીધી હતી. જ્ઞાનદેવ વાનખેડેએ કોર્ટને એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકને (Nawab Malik) તેમના અને તેમના પરિવાર વિશે બોલવા અને તે માહિતીને સોશિયલ મીડિયા પર જાહેર કરવાથી રોકવાની અપીલ કરી હતી. તેનાથી તેના પરિવારની બદનામી થઈ રહી છે. કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નવાબ મલિકનો મૂળભૂત અધિકાર છે. તેથી તેને રોકી શકાય તેમ નથી.

આ સાથે કોર્ટે નવાબ મલિકને ચેતવણી પણ આપી છે કે તે યોગ્ય તપાસ કર્યા પછી આવી કોઈપણ માહિતી જાહેર કરે જેથી જ્ઞાનદેવ વાનખેડેના અધિકારનું ઉલ્લંઘન ન થાય. કોર્ટે કહ્યું, કોઈપણ અધિકારી વિશે કોઈ નિવેદન આપતા પહેલા માહિતીની ચકાસણી કરવી જરૂરી છે. નવાબ મલિકના આરોપો સંપૂર્ણપણે ખોટા છે, અત્યારે આ કહેવું યોગ્ય નથી. નવાબ મલિક પોસ્ટ કરી શકે છે. પરંતુ કોઈપણ માહિતી સાર્વજનિક કરતા પહેલા, તેઓએ તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ, પછી તેને પોસ્ટ કરવી જોઈએ.

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નવાબ મલિકે ટ્વિટ કર્યું

આગામી સુનાવણી 20 ડિસેમ્બરે થશે આ મામલામાં આગામી સુનાવણી હવે 20 ડિસેમ્બરે થશે. બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ નવાબ મલિકે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું, “સત્યમેવ જયતે, અન્યાય સામેની લડાઈ ચાલુ રહેશે. જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડે પર આરોપ લગાવ્યો છે કે તે જન્મથી મુસ્લિમ છે. તેમના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ ધર્મ બદલી નાખ્યો હતો.

સમીર વાનખેડેએ પણ પોતાના પહેલા લગ્નના નિકાહનામામાં પોતાને મુસ્લિમ ગણાવ્યો છે. આ હોવા છતાં, તેણે અનામતનો લાભ લેવા માટે નકલી દસ્તાવેજો બતાવ્યા અને પોતાનો ધર્મ છુપાવ્યો. આમ કરીને તેણે દલિત યુવકનો અનામતનો અધિકાર છીનવી લીધો છે અને તેને આઈઆરએસની નોકરી મેળવી છે.

નવાબ મલિકે સમીર વાનખેડે પર આર્યન ખાનનું અપહરણ કરવા અને તેને ડ્રગ્સના કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. તેણે સમીર વાનખેડે પરિવારની આવી ઘણી વધુ માહિતી જાહેર કરી છે. તેણે કહ્યું છે કે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરની બહેનનું નામ પુણેના ડ્રગ્સ કેસ સાથે જોડાયેલું છે. આ તમામ બાબતોની ફરિયાદ લઈને સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

આ પણ વાંચો : Mumbai Local Train પકડવાના ચક્કરમાં મહિલા પડી ગઈ, ગાર્ડની સતર્કતાએ બચાવ્યો જીવ, જુઓ Video

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">