AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

19 નવેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને (Former Prime Minister Indira Gandhi)  યાદ કરીને કંગનાએ એવી પોસ્ટ કરી હતી, જેનાથી શીખ સમુદાયને દુઃખ થયું છે.

મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું 'ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે'
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:09 PM
Share

અભિનેત્રી કંગના રનૌતનો (Kangana Ranaut) વિવાદો સાથે સતત સંબંધ રહ્યો છે. કંગના રનૌત તેની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ફસાઈ રહી હોય તેમ  લાગી રહ્યું છે, જેમાં તેણે ખેડૂતોની તુલના કથિત રીતે  ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરી હતી. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ  અને શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસાએ (Manjinder Singh Sirsa) આજે ​​એટલે કે સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલને (Dilip Walse Patil) મળ્યા હતા અને અભિનેત્રી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

તે જ સમયે ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે સિરસા અને તેમની સાથે આવેલા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી કે તેઓ ચોક્કસપણે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી કરશે. દિલીપ વાલસે પાટીલને મળ્યા બાદ મનજિન્દર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે કહ્યું કે અમે હમણાં જ દિલીપ વાલસે પાટિલને મળ્યા, જેઓ મહારાષ્ટ્રના ગૃહમંત્રી છે. કંગના રનૌતે જે ઝેર ફેલાવ્યું છે તેને લઈને આ બેઠક થઈ હતી.

તેમણે અમને ખાતરી આપી છે કે જે પણ જરૂરી કાર્યવાહી હશે, તે કંગના રનૌત પર ચોક્કસપણે કરવામાં આવશે. અમને વિશ્વાસ છે કે મહારાષ્ટ્ર પોલીસ કેસ પણ નોંધશે અને ટૂંક સમયમાં કંગના જેલના સળિયા પાછળ હશે. આ ઉપરાંત પ્રતિનિધિમંડળ મુંબઈના પશ્ચિમ ક્ષેત્રના અધિક પોલીસ કમિશનર સંદીપ પી. કાર્ણિકને પણ મળ્યું હતું અને કંગના રનૌત સામે પગલાં લેવા વિનંતી કરી હતી.

કેટલીક તસવીરો શેર કરતાં સિરસાએ લખ્યું- અમારું પ્રતિનિધિમંડળ એડિશનલ પોલીસ કમિશન સંદીપ પી કાર્ણિકજીને મળ્યું અને કંગના રનૌત વિરુદ્ધ કાનૂની કાર્યવાહી અંગે ચર્ચા કરી. ખેડૂતો અને શીખ સમુદાય વિરુદ્ધ ઝેર ફેલાવવા બદલ તેની ધરપકડ થવી જોઈએ.

મનજિન્દર સિંહ સિરસાએ આજે ​​વહેલી સવારે ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તેમનું એક પ્રતિનિધિમંડળ આજે મુંબઈ જઈ રહ્યું છે, જ્યાં તેઓ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા દિલ્હીમાં પણ શીખ સમુદાય પર કથિત ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

કંગના રનૌતની કઈ પોસ્ટથી વિવાદ થયો?

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે છેલ્લા એક વર્ષથી દેશના ખેડૂતો ધરણાં પર છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્રણ બિલને રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ પછી કંગનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ્સ પોસ્ટ કરી જેમાં તેણે કથિત રીતે ખેડૂતોની તુલના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરી. તે જ સમયે 19 નવેમ્બરે દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને યાદ કરીને કંગનાએ આવી પોસ્ટ કરી હતી, જેનાથી શીખ સમુદાયને દુઃખ થયું છે.

કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોઈનું નામ લીધા વિના લખ્યું – ખાલિસ્તાની આતંકવાદીઓ આજે ભલે સરકારના હાથ મરોડતા હોય, પરંતુ તે મહિલાને ભૂલશો નહીં… એકમાત્ર મહિલા વડાપ્રધાને તેમને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા. તેમણે આ દેશને ગમે તેટલી તકલીફો પહોંચાડી હોય, જીવની કિંમતે તેમને મચ્છરની જેમ કચડી નાખ્યા છે, પરંતુ દેશના ટુકડા થવા દીધા નથી. તેમના મૃત્યુના દાયકાઓ પછી પણ તેઓ તેમના નામથી કંપી ઉઠે છે. તેમને હવે આવા જ એક  શિક્ષકની જરૂર છે.

આ પણ વાંચો: દિલ્હીમાં પ્રદૂષણ ઘટતા સરકારે આપી રાહત, બાંધકામ શરૂ કરવા આપી પરવાનગી

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">