AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhiwandi Building Collapse: 20 કલાક બાદ કાટમાળમાંથી 10 લોકોને જીવિત બહાર કઢાયા, અત્યાર સુધીમાં 6ના મોત

મહારાષ્ટ્રના ભિવંડી બિલ્ડિંગ દુર્ઘટનામાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 14 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે છ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે.

Bhiwandi Building Collapse: 20 કલાક બાદ કાટમાળમાંથી 10 લોકોને જીવિત બહાર કઢાયા, અત્યાર સુધીમાં 6ના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 6:01 PM
Share

Mumbai : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા ભિવંડીમાં બિલ્ડિંગ દુર્ઘટનાના 20 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ કાટમાળની અંદર દટાયેલાઓને શોધી રહી છે. રવિવારે સવારે આઠ વાગ્યે NDRFએ કાટમાળમાં ફસાયેલા સુનીલ બાલુને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. એવી આશંકા છે કે કાટમાળની અંદર હજુ પણ સાત લોકો દટાયેલા હોઈ શકે છે. તેમને બહાર કાઢવા માટે બચાવ ટીમ ઝડપથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ, ટીડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ અત્યાર સુધીમાં 14 લોકોને બચાવ્યા છે. જ્યારે છ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.

સ્થાનિક જિલ્લા પ્રશાસનની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે પણ અકસ્માત બાદ બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે. જણાવી દઈએ કે આ ઘટના શનિવારે બપોરે લગભગ 12.30 વાગ્યે બની હતી. ત્રણ માળની ઈમારત થોડી જ વારમાં ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં કામ કરતા 15 મજૂરો સિવાય ચાર પરિવારના બે ડઝનથી વધુ સભ્યો હાજર હતા. અકસ્માત બાદ આ તમામ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પોલીસને આ અંગે જાણ કરી હતી. આ પછી રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા 14 લોકોને જીવતા બચાવ્યા હતા. જોકે આ દરમિયાન ત્રણ લોકોના મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યા છે. રવિવારે સવારે બચાવ કાર્યમાં જોડાયેલા NDRF અધિકારીઓએ જણાવ્યું કે ઘણો કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ સાત લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આથી બચાવ ટીમો જેસીબી અને હાથ વડે કાટમાળ હટાવવાનું કામ કરી રહી છે.

આ ટીમોનો પ્રયાસ અંદર ફસાયેલા તમામ લોકોને જીવતા બચાવવાનો છે. બીજી તરફ, દુર્ઘટનાની માહિતી મળતાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી. તમામ મૃતકો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયા આપવાનો આદેશ આપતાં તેમણે તમામ ઘાયલોને સરકારી ખર્ચે સારવાર આપવા જણાવ્યું છે. તેઓ પોતે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં ઘાયલોની ખબર-અંતર પૂછ્યું હતું.

આ પણ વાંચો : Maharashtra APMC Election Result: બીજેપી મહારાષ્ટ્રની નંબર 1 પાર્ટી બની , પરંતુ જો MVA સંગઠિત રહેશે તો આગળ ખતરાની ઘંટડી !

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ભિવંડી ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. આ પછી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની રેસ્ક્યુ ટીમ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મામલો ઘણો મોટો હોવાથી જિલ્લા પ્રશાસને NDRFની ટીમોને પણ બોલાવી હતી. હાલ ઘટના સ્થળે 20 TDRF અને 35 NDRF જવાનો કાર્યરત છે. એ જ રીતે ઘાયલોને બચાવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે ભિવંડી ફાયર વિભાગની 11 એમ્બ્યુલન્સ અને એક વાહન તૈનાત કરવામાં આવ્યું છે. સાથે જ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">