Amit Shah Maharashtra Visit: MLCની ચૂંટણીઓ વચ્ચે 20 અને 21 જૂને અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે

જો કે ગૃહપ્રધાનની આ મુલાકાત આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે અને તેઓ મંદિરમાં જશે, ભગવાનના દર્શન કરશે, પરંતુ જ્યારે તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, ત્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હશે.

Amit Shah Maharashtra Visit: MLCની ચૂંટણીઓ વચ્ચે 20 અને 21 જૂને અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે
Home Minister Amit ShahImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:14 PM

આવતીકાલથી બે દિવસ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) મહારાષ્ટ્રના (Maharashtra) પ્રવાસે છે. તેઓ 20 અને 21 જૂને મહારાષ્ટ્રમાં રહેશે. તેઓ નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન કરશે અને કેટલાક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. અમિત શાહ આવતીકાલે બપોરે નાશિકના ત્ર્યંબકેશ્વર પહોંચશે. મંગળવારે સવારે તેઓ ત્ર્યંબકેશ્વર મંદિરે ભગવાનના દર્શન કરશે. ગૃહપ્રધાન અમિત શાહના આગમનની તૈયારીમાં નાશિક જિલ્લાના ત્ર્યંબકેશ્વરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન થવાનું છે.

અમિત શાહ ત્ર્યંબકેશ્વરમાં અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ સેવામાર્ગની ગુરુપીઠમાં આવશે. તેઓ શ્રી મોરેદાદા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. પાંચ દિવસ પહેલા પીએમ મોદીની મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાત પછી બધાની નજર અમિત શાહની બે દિવસની મહારાષ્ટ્ર મુલાકાત પર છે.

MLCની ચૂંટણીઓ વચ્ચે શાહનો આધ્યાત્મિક પ્રવાસ

જો કે ગૃહપ્રધાનની આ મુલાકાત આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે અને તેઓ મંદિરમાં જશે, ભગવાનના દર્શન કરશે, પરંતુ જ્યારે તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, ત્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હશે. પાલિકાની ચૂંટણી અને પ્રમુખની ચૂંટણી પણ નજીક છે. આવી સ્થિતિમાં અમિત શાહની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે કે નહીં તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમિત શાહ રાજ્યમાં હાજર રહેશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમિત શાહ રાજ્યમાં હાજર રહેશે. તેમની સાથે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના કેટલાક મંત્રીઓ, ભાજપના અન્ય નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ હશે. એપ્રિલ મહિનામાં અખિલ ભારતીય શ્રી સ્વામી સેવામાર્ગના સભ્યો દિલ્હી ગયા અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા અને તેમને આવવાનું આમંત્રણ આપ્યું. સેવામાર્ગના આ આમંત્રણને સ્વીકારીને ગૃહપ્રધાને આવવા માટે સંમતિ દર્શાવી હતી. અમિત શાહ તેમના આ જ વચનને પૂર્ણ કરવા મહારાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે ત્ર્યંબકેશ્વરમાં સમર્થ ગુરુપીઠ ખાતે ઉપસ્થિત રહેશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">