AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah Maharashtra Visit: MLCની ચૂંટણીઓ વચ્ચે 20 અને 21 જૂને અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે

જો કે ગૃહપ્રધાનની આ મુલાકાત આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે અને તેઓ મંદિરમાં જશે, ભગવાનના દર્શન કરશે, પરંતુ જ્યારે તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, ત્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હશે.

Amit Shah Maharashtra Visit: MLCની ચૂંટણીઓ વચ્ચે 20 અને 21 જૂને અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:14 PM
Share

આવતીકાલથી બે દિવસ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) મહારાષ્ટ્રના (Maharashtra) પ્રવાસે છે. તેઓ 20 અને 21 જૂને મહારાષ્ટ્રમાં રહેશે. તેઓ નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન કરશે અને કેટલાક કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. અમિત શાહ આવતીકાલે બપોરે નાશિકના ત્ર્યંબકેશ્વર પહોંચશે. મંગળવારે સવારે તેઓ ત્ર્યંબકેશ્વર મંદિરે ભગવાનના દર્શન કરશે. ગૃહપ્રધાન અમિત શાહના આગમનની તૈયારીમાં નાશિક જિલ્લાના ત્ર્યંબકેશ્વરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. આ બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અનેક કાર્યક્રમોનું ઉદ્ઘાટન થવાનું છે.

અમિત શાહ ત્ર્યંબકેશ્વરમાં અખિલ ભારતીય શ્રી સ્વામી સમર્થ સેવામાર્ગની ગુરુપીઠમાં આવશે. તેઓ શ્રી મોરેદાદા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. પાંચ દિવસ પહેલા પીએમ મોદીની મહારાષ્ટ્રની એક દિવસીય મુલાકાત પછી બધાની નજર અમિત શાહની બે દિવસની મહારાષ્ટ્ર મુલાકાત પર છે.

MLCની ચૂંટણીઓ વચ્ચે શાહનો આધ્યાત્મિક પ્રવાસ

જો કે ગૃહપ્રધાનની આ મુલાકાત આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે અને તેઓ મંદિરમાં જશે, ભગવાનના દર્શન કરશે, પરંતુ જ્યારે તેઓ મહારાષ્ટ્ર પહોંચશે, ત્યારે વિધાન પરિષદની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું હશે. પાલિકાની ચૂંટણી અને પ્રમુખની ચૂંટણી પણ નજીક છે. આવી સ્થિતિમાં અમિત શાહની આ મુલાકાત માત્ર આધ્યાત્મિક કારણોસર થઈ રહી છે કે નહીં તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમિત શાહ રાજ્યમાં હાજર રહેશે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમિત શાહ રાજ્યમાં હાજર રહેશે. તેમની સાથે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યના કેટલાક મંત્રીઓ, ભાજપના અન્ય નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ હશે. એપ્રિલ મહિનામાં અખિલ ભારતીય શ્રી સ્વામી સેવામાર્ગના સભ્યો દિલ્હી ગયા અને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા અને તેમને આવવાનું આમંત્રણ આપ્યું. સેવામાર્ગના આ આમંત્રણને સ્વીકારીને ગૃહપ્રધાને આવવા માટે સંમતિ દર્શાવી હતી. અમિત શાહ તેમના આ જ વચનને પૂર્ણ કરવા મહારાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે ત્ર્યંબકેશ્વરમાં સમર્થ ગુરુપીઠ ખાતે ઉપસ્થિત રહેશે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">