AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો, લગાવી હતી 5000 કરોડની બોલી

મુંબઈનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi In Mumbai) આખરે ગૌતમ અદાણી ગ્રૂપને મળી ગયો છે. તેના આ માટે 5 હજાર કરોડની સૌથી વધુ બોલી લગાવી હતી. જ્યારે ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી.

મુંબઈનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો, લગાવી હતી 5000 કરોડની બોલી
Gautam Adani
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 10:27 PM
Share

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના નામથી ઓળખાતી ધારાવીનો પુનર્વિકાસ પ્રોજેક્ટ ગૌતમ અદાણી ગ્રુપ પાસે ગયો છે. અદાણી ગ્રુપે તેને હાસિલ કરવા માટે 5069 કરોડની બોલી લગાવી હતી. મંગળવારે આ સંબંધમાં ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી અને અદાણી ગ્રુપે બાજી મારી લીધી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રુપ ટેન્ડર પ્રક્રિયામાં ગેરકાયદે હોવાનું જાણવા મળ્યું. સૌથી મોટી બોલી લગાવવાના કારણે છેલ્લે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપના હાથમાં આવી ગયો.

ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે ચોથી વખત ઈન્ટરલેવલ લેવલ પર ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ માટે દુનિયાની આઠ મોટી કંપનીઓએ ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ અંત સુધીમાં માત્ર ત્રણ કંપનીઓએ જ તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં અદાણી, ડીએલએફ અને નમન ગ્રુપનો સમાવેશ થાય છે. પરંતુ પ્રક્રિયાઓના નિરીક્ષણ દરમિયાન નમન ગ્રુપની અરજી અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું અને તેને નામંજૂર કરવામાં આવી હતી.

અદાણીના 5 હજાર કરોડ, સામે ના ટકી શક્યા DLFના 2 હજાર કરોડ

પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા 1,600 કરોડ રૂપિયાની બોલી લગાવવી જરૂરી હતી. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ સૌથી વધુ એટલે કે 5069 કરોડની બોલી લગાવીને આ પ્રોજેક્ટને પોતાને નામે કરી લીધો. ડીએલએફ ગ્રૂપે આના કરતાં ઘણી ઓછી બોલી લગાવી હતી. ડીએલએફ ગ્રુપે 2 હજાર 25 કરોડની બોલી લગાવી હતી. નમન ગ્રૂપની બોલી તકનીકી કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેના લીધે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપ પાસે ગયો હતો. હવે ટૂંક સમયમાં રાજ્ય સરકારની શરતોના આધાર પર ટેન્ડરને અંતિમ રૂપ આપતાં આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે.

આગામી સાત વર્ષમાં પુનર્વસન, ત્યારબાદના દસ વર્ષમાં પુનર્વિકાસ

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લગભગ 20 હજાર કરોડનો થવા જઈ રહ્યો છે. આગામી 17 વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે. આગામી સાત વર્ષમાં પુનર્વસનનું કામ પૂરૂં કરવામાં આવશે. ધારાવીમાં એક સમયે વિશાળ ચામડાનો ઉદ્યોગ હતો. જેમ જેમ મુંબઈ વસ્તી વધતી ગઈ છે, તેમ તેમ આ ઝૂંપડપટ્ટીનું પણ વિસ્તરણ થયું અને નાના પાયાના ઉદ્યોગો પણ એ જ પ્રમાણમાં વધતા ગયા. આ વિસ્તાર મુંબઈના મધ્યમાં આવેલો છે. તેની એક તરફ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ છે અને બીજી તરફ દાદર છે. અહીં લગભગ 10 લાખ લોકો રહે છે. આવી પરિસ્થિતિમાં પુનર્વિકાસ પહેલા પુનર્વસનનું કામ વિશાળ છે.

Follow Us
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
પાલનપુરમાં પ્રી-મોન્સૂન કામગીરી ઠપ્પ, પાલિકાના નેતાઓના દાવા જ જુદા
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">