મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો મોટોભાગ ધરાશાયી, 20 લોકો ઘાયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો કાઝીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો.

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો મોટોભાગ ધરાશાયી, 20 લોકો ઘાયલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2022 | 6:41 PM

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટઓવર બ્રિજનો મોટો ભાગ ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં ફૂટઓવર બ્રિજ પર હાજર લોકો 60 ફૂટની ઊંચાઈથી પાટા પર પડ્યા હતા. જો કે અત્યાર સુધીની માહિતી અનુસાર આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા છે, જ્યારે 8ની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તે જ સમયે અકસ્માતમાં ઘાયલ મુસાફરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા મુસાફરો કાઝીપેટ પૂણે એક્સપ્રેસ પકડવા પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક આ પુલનો એક ભાગ ધરાશાયી થયો હતો. જણાવી દઈએ કે પુલની ઉંચાઈ લગભગ 60 ફૂટ હતી અને જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે બ્રિજ પર લગભગ 80 લોકો હાજર હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જાણો શું છે મામલો?

હકીકતમાં બલ્લારશાહ સ્ટેશન પર 20થી વધુ ઈજાઓ નોંધાઈ છે. જ્યાં ચંદ્રપુરના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર રેલવે ફૂટ ઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર 10 મુસાફરો નીચે પડી જવાથી ઘાયલ થયા છે, જેમાંથી કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જો કે બલ્લારશાહ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ આ તમામ ઘાયલ મુસાફરોની મદદ કરી રહ્યા છે. હાલમાં બલ્લારશાહ રેલ્વે સ્ટેશન અને ગ્રામીણ હોસ્પિટલ વિસ્તારમાં ભીડ છે. વધુ અકસ્માતો અને નાસભાગ અટકાવવા માટે આ વિસ્તારમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

Latest News Updates

રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">