Mumbai : ભાયખલા વિસ્તારમાં ભીષણ આગ, આઠ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે
મુંબઈના ભાયખલા વિસ્તારમાં મુસ્તફા બજાર પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. હાલ આગને કાબુ કરવા માટે 8 ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
Mumbai Fire : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના(Mumbai Fire) કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની(Fire Brigade) 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
મળતી માહિતી મુજબ, મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ (Fire) લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર ઓફિસર કેડી ગાડીગાંવકરે આગની ઘટનાને લઈને જણાવ્યુ હતુ કે, આજે સવારે લગભગ 6 વાગ્યે આ આગ લાગી હતી.હાલ અહીં 8 ફાયર એન્જિન અને 10 વોટર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Fire broke out in a wooden godown near Mustafa Bazar in the Byculla area of Mumbai. 8 fire brigades at the spot: Mumbai Fire Brigade pic.twitter.com/kO9VZHV8i4
— ANI (@ANI) January 10, 2022
આગનો સિલસિલો ક્યારે અટકશે ?
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ઘાટકોપર વિસ્તારના એક વેરહાઉસમાં (Warehouse) સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. જો કે થોડા કલાકો બાદ આ આગ કાબુમાં આવી હતી. જો કે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે નાગરિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. આ આગના વાયરલ થઈ રહેલા વીડિયોમાં આગનુ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. જો કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો : કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ