AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

દેશમાં કોરોના વાયરસે ફરી એકવાર ગતિ પકડી છે, જેમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી રહી છે.

કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ
Mumbai Police (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:49 AM
Share

Maharashtra: બીજી લહેર બાદ ફરી એક વાર સમગ્ર દેશમાં કોરોનાનું (Corona)  તાંડવ જોવા મળી રહ્યુ છે. જેમા મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં (Mumbai) દરરોજ 20 હજાર કોરોના કેસ આવી રહ્યા છે.

એક દિવસમાં મોટી માત્રામાં કોરોના કેસ (Corona Case) સામે આવતા સરકારની ચિંતા વધી ગઈ છે. મળતા અહેવાલ અનુસાર મુંબઈમાં 18 IPS ઓફિસરો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. જ્યારે છેલ્લા 48 કલાકમાં કુલ 114 પોલીસકર્મીઓ પોઝિટીવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પોલીસકર્મીઓ પર કોરોનાનું તાંડવ

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાકમાં બે પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત પણ થયા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 48 કલાકમાં 114 પોલીસકર્મીઓ અને 18 IPS અધિકારીઓ, જેમાં 13 ડીસીપી અને 4 CP સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ હોવાના લક્ષણો જોવા મળતાં જ આ પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 125 પોલીસકર્મીઓ (Mumbai Police) વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 19,474 નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર યથાવત

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના 44,388 નવા કેસ નોંધાયા બાદ કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 69,20,044 થઈ ગઈ છે. આ સિવાય 12 દર્દીઓના મોત સાથે મૃતકોની સંખ્યા 1,41,639 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા રાજ્યમાં કોરોના વાયરસના ચેપના 41,434 કેસ નોંધાયા હતા અને 13 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો.

ઓમિક્રોનના વધતા કેસે વધારી ચિંતા

આરોગ્ય વિભાગે જણાવ્યુ હતુ કે એક દિવસમાં 15,351 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 65,72,432 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,02,259 છે. બીજી તરફ રાજ્યમાં વધતા ઓમિક્રોન કેસે (Omicron Case) પણ ચિંતા વધારી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં રવિવારે ઓમિક્રોનના 207 નવા કેસ નોંધાયા હતા, જેની સાથે કુલ કેસોની સંખ્યા વધીને 1,216 થઈ ગઈ છે.

આ પણ વાંચો : મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">