AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત

મંગળવારે મુંબઈમાં કોરોનાના 6,149 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

Mumbai : પોલીસકર્મીઓ પર કોરોનાનુ ગ્રહણ, માત્ર એક દિવસમાં 28 પોલીસકર્મી થયા કોરોના સંક્રમિત
28 policeman infected from corona in mumbai (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:58 PM
Share

Mumbai Corona Update  : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની દહેશત (Corona Case) જોવા મળી રહી છે. સાથે જ રાજ્યના મુંબઈ (Mumbai)અને પુણે(Pune)માં મોટી સંખ્યામાં પોલીસકર્મી(Mumbai Police) કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. પુણે પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે પુણે શહેરમાં 21 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત (Corona Positive)જોવા મળ્યા હતા.

પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં

આ સાથે પૂણેમાં કોરોનાથી સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા વધીને 504 પર પહોંચી ગઈ છે. બીજી તરફ મુંબઈમાં પણ પોલીસકર્મીઓ  સંક્રમિત થવાનો સિલસિલો પણ યથાવત છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 28 પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કુલ 10,666 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે અને 127 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં કુલ 1273 કેસ એક્ટિવ છે.

ઓમિક્રોનના કેસમાં નોંધપાત્ર ઘટાડો

તમને જણાવી દઈએ કે, મંગળવારે મુંબઈમાં કોરોનાના 6,149 કેસ નોંધાયા છે. આ સાથે જ આ કોરોનાને કારણે 7 લોકોના મોત પણ થયા છે. સોમવાર કરતાં મંગળવારે 193 વધુ કેસ નોંધાયા હતા. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર મહારાષ્ટ્રમાં 39,207 નવા કોવિડ કેસ સામે આવ્યા છે.જ્યારે 38,824 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા વધીને 2,67,659 થઈ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટનો (Omicron Variant) એક પણ નવો કેસ નોંધાયો નથી.

ત્રીજી લહેર પીક પર પહોંચી ?

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ઘટતા કેસને પગલે કહેવામા આવી રહ્યુ છે કે, ત્રીજી લહેરની અસર હવે ઓછી થતી જોવા મળી રહી છે. હિન્દી વેબસાઈટ નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર, ડૉ. ગૌતમ ભણસાલીનું કહેવું છે કે, જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈમાં 15 જાન્યુઆરી સુધીમાં કોરોના પીક પર પહોંચી જશે.

ડૉ. ભણસાલીના જણાવ્યા અનુસાર, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં (Mumbai Corona Case ) ઘટાડો થવાની સાથે જ તેની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. કોરોનાના કેસોમાં એક સમયે જબરદસ્ત વધારો થશે. આવો જ ટ્રેન્ડ તાજેતરમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો  : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી, 24 કલાકમાં 39,207 કેસ નોંધાયા, મૃત્યુઆંક 50ને પાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">