AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Day of Safety and Health at Work 2022 : કાર્ય સ્થળ પર સલામત અને સ્વસ્થ રહેવાના દિવસની ઉજવણી, જાણો શું છે મહત્વ ?

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય (Aim ) લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે. જેથી તંદુરસ્ત કાર્ય પ્રવૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે

World Day of Safety and Health at Work 2022 : કાર્ય સ્થળ પર સલામત અને સ્વસ્થ રહેવાના દિવસની ઉજવણી, જાણો શું છે મહત્વ ?
The World Day for Safety and Health at Work i(Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:44 AM
Share

દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ (The World Day for Safety and Health at Work ) રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં (World ) ઉજવવામાં આવે છે. વ્યવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે.

તેનું મહત્વ શું છે ?

આપણામાંના મોટાભાગના લોકો પોતાના કાર્યસ્થળ પર નોંધપાત્ર સમય વિતાવે છે, તેથી જ ત્યાં તંદુરસ્ત આરોગ્ય ધોરણો જાળવવાનું મહત્વપૂર્ણ બની જાય છે. જેથી કામ પર કોઈપણ પ્રકારની ખોટી ઘટનાઓ ટાળી શકાય. વ્યવસાયિક અકસ્માતો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે, કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે.

આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વૈશ્વિક સ્તરે વ્યવસાયિક અકસ્માતો અને રોગોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. તે મૂળભૂત રીતે જાગરૂકતા વધારવાનું અભિયાન છે જે વ્યવસાયિક સલામતી અને આરોગ્યમાં ઉભરતા પ્રવાહોને પ્રકાશિત કરે છે.

ઉજવણી પાછળનો હેતુ શું છે?

આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે જેથી તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે જે 1996 થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે. ILO એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે અને આ મુદ્દા પર માહિતી પ્રસારિત કરી  છે.

કાર્ય પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ 2022 : આ વર્ષની થીમ શું છે?

કાર્ય પર સલામતી અને આરોગ્ય માટે આ વર્ષના વિશ્વ દિવસની થીમ છે ‘સકારાત્મક સલામતી અને આરોગ્ય સંસ્કૃતિના નિર્માણ માટે સાથે મળીને કાર્ય કરો’. આ થીમ એક મજબૂત સ્વાસ્થ્ય અને સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યસ્થળોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં દરેક વ્યક્તિ સલામત અને સ્વસ્થ કાર્ય વાતાવરણમાં યોગદાન આપી કામ કરી શકે છે.

આ દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

28 એપ્રિલના રોજ, યુનાઇટેડ નેશન્સ, ILO, સમુદાયો, સરકારી સંસ્થાઓ અને વ્યક્તિઓ જેઓ કાર્યસ્થળ પર વધુ સારા સ્વાસ્થ્યની હિમાયત કરે છે તે સહિતની વિવિધ સંસ્થાઓ કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની આંતરરાષ્ટ્રીય ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને એકજૂથ થાય છે.

આ પણ વાંચો :

High Blood Pressure: આ કસરતો હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થશે

Health Tips: સ્ટેમિના વધારવા માટે કારગર સાબિત થશે ઓલિવ ઓઇલ અને લસણનું સેવન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">