AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watermelon Benefits: વજન ઘટાડવાથી લઈને આંખોની રોશની વધારવા માટે તરબૂચ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Watermelon Benefits: ઉનાળાની ઋતુમાં પાણીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને હાઈડ્રેટેડ રાખે છે. તમે તરબૂચનું સેવન કરી શકો છો. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

Watermelon Benefits: વજન ઘટાડવાથી લઈને આંખોની રોશની વધારવા માટે તરબૂચ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક
Watermelon-Juice
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 5:22 PM
Share

ઉનાળામાં પાણીથી ભરપૂર ખોરાક (Watermelon Benefits)નું સેવન કરવું જોઈએ. આ ફળો સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગરમીના દિવસોમાં તમારે તરબૂચનું સેવન કરવું જોઈએ. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તેમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. તરબૂચમાં વિટામિન A, વિટામિન C અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. તે તમારા શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે. તમે તરબૂચ (Watermelon)ના રસનું સેવન પણ કરી શકો છો. તે લાઈકોપીન અને એન્ટીઑકિસડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. તમે તરબૂચના બીજ પણ ખાઈ શકો છો. તે કોપર, ઝિંક, આયર્ન અને મેંગેનીઝ જેવા ખનિજોથી સમૃદ્ધ છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો

તરબૂચ ખાવાના સ્વાસ્થ્ય લાભો

હાઈડ્રેટેડ રાખે છે

તરબૂચ તમને દિવસભર હાઈડ્રેટેડ રાખે છે. તેમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તરબૂચ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે. આ ચયાપચયને વેગ આપે છે.

વજન ઘટાડવા માટે

તરબૂચ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં પાણીનું પ્રમાણ વધારે છે. આ નકારાત્મક કેલરી ખોરાક છે. તમે તેને વધુ માત્રામાં ખાઈ શકો છો. તે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તમે નાસ્તામાં તરબૂચ ખાઈ શકો છો.

કિડનીના રોગોને દૂર રાખે છે

તરબૂચ પોટેશિયમ અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. કેલ્શિયમ લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે. આનાથી કિડનીના રોગો થવાનું જોખમ ઓછું થાય છે.

સ્નાયુમાં દુ:ખાવો

તરબૂચમાં સિટ્રુલિન હોય છે. તે સ્નાયુઓના દુખાવાથી પણ બચાવે છે. વર્કઆઉટ કરતા પહેલા તમે તરબૂચના જ્યુસનું સેવન કરી શકો છો.

કેન્સરનું જોખમ ઘટાડે છે

તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. મુક્ત રેડિકલ કેન્સર માટે જાણીતા છે. તરબૂચમાં હાજર લાઈકોપીન પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે.

ચમકતી ત્વચા માટે

તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. તે ત્વચાને પોષણ આપે છે. તે ત્વચાને વધુ ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

આંખો માટે ફાયદાકારક

તરબૂચમાં બીટા કેરોટીન અને વિટામિન એ હોય છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. આ મોતિયા જેવા રોગોને રોકવામાં મદદ કરે છે. તેનું નિયમિત સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

આ પણ વાંચો :Alia Bhatt Wedding: ‘મારી દીકરી જેવી છે…’, આલિયાની વિદાયમાં ડ્રાઈવર સુધીના લોકોના આંસુ છલકાયા, અભિનેત્રી સાથે છે નાનપણથી લગાવ

આ પણ વાંચો :PBKS vs SRH Live Score, IPL 2022 : પંજાબની પ્રથમ વિકેટ પડી, ધવન પેવેલિયન પરત ફર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">