AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC નો મોટો ફેરફાર, હવે આ સમયે આધાર વિના નહીં મળે ટ્રેન ટિકિટ

ભારતીય રેલવેએ IRCTC ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ટ્રેન ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત છે.

IRCTC નો મોટો ફેરફાર, હવે આ સમયે આધાર વિના નહીં મળે ટ્રેન ટિકિટ
| Updated on: Nov 07, 2025 | 7:14 PM
Share

ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આવો જાણીએ IRCTCના નવા નિયમ વિશે વિગતવાર.

સવારના 8 થી 10 વાગ્યા વચ્ચે આધાર ફરજિયાત

રેલવેએ જાહેર કર્યું છે કે હવે સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરવા માટે આધાર જરૂરી રહેશે. આ નિર્ણયનો હેતુ એ છે કે, ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી અટકાવવી અને ભારે માગવાળા સમયમાં ટિકિટ સાચા મુસાફરો સુધી પહોંચાડવી.

આ બે કલાક એવો સમય હોય છે જ્યારે લોકપ્રિય ટ્રેનોમાં સીટ માટે ભારે માગ રહે છે. ઘણા લોકો ઘણા અકાઉન્ટ બનાવી કે ઓટોમેટેડ સોફ્ટવેરથી ટિકિટ બુકિંગમાં ગડબડ કરતા હતા. આને રોકવા માટે IRCTCએ આ સમયગાળો માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સ માટે રાખ્યો છે. જે લોકોનું આધાર લિંક નથી, તેઓ સવારના 8 થી 10 સિવાયના સમયમાં ટિકિટ બુક કરી શકશે. આ નવો નિયમ 28 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.

તત્કાલ ટિકિટ માટે પહેલાથી જ આધાર ફરજિયાત

આ પહેલાં પણ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ફરજિયાત બનાવ્યું હતું. 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ માટે આધાર જરૂરી છે અને 15 જુલાઈ 2025થી ઑનલાઇન, એજન્ટ કે PRS કાઉન્ટર – તમામ માધ્યમમાં OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું

જો તમે હજી સુધી આધાર વેરિફાઈ કર્યું નથી, તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે અને માત્ર થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે:

  • www.irctc.co.in પર જઈને લોગિન કરો.
  • My Profile વિભાગમાં જઈ User Verification વિકલ્પ પસંદ કરો.
  • તમારો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID દાખલ કરો અને Verify Details પર ક્લિક કરો.
  • આધાર સાથે જોડાયેલા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
  • વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમે સવારના 8 થી 10 વાગ્યા સહિત કોઈપણ સમયે ટિકિટ બુક કરી શકશો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આ નવો નિયમ માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે લાગુ પડે છે. PRS કાઉન્ટર પર ટિકિટ લેવા માટેના નિયમોમાં કોઈ ફેરફાર નથી. હવે જે લોકો સવારના સમયગાળામાં ટિકિટ બુક કરવા માંગે છે, તેમને પહેલેથી આધાર વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે, જેથી બુકિંગ સમયે ટ્રાન્ઝેક્શન ફેઇલ જેવી સમસ્યા ન આવે.

રેલવેનો આ ફેરફાર ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત, પારદર્શક અને સાચા મુસાફરો માટે સરળ બનાવવા માટેના પ્રયાસનો એક ભાગ છે.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">