AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC નો મોટો ફેરફાર, હવે આ સમયે આધાર વિના નહીં મળે ટ્રેન ટિકિટ

ભારતીય રેલવેએ IRCTC ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ટ્રેન ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત છે.

IRCTC નો મોટો ફેરફાર, હવે આ સમયે આધાર વિના નહીં મળે ટ્રેન ટિકિટ
| Updated on: Nov 07, 2025 | 7:14 PM
Share

ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત રહેશે. આવો જાણીએ IRCTCના નવા નિયમ વિશે વિગતવાર.

સવારના 8 થી 10 વાગ્યા વચ્ચે આધાર ફરજિયાત

રેલવેએ જાહેર કર્યું છે કે હવે સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરવા માટે આધાર જરૂરી રહેશે. આ નિર્ણયનો હેતુ એ છે કે, ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી અટકાવવી અને ભારે માગવાળા સમયમાં ટિકિટ સાચા મુસાફરો સુધી પહોંચાડવી.

આ બે કલાક એવો સમય હોય છે જ્યારે લોકપ્રિય ટ્રેનોમાં સીટ માટે ભારે માગ રહે છે. ઘણા લોકો ઘણા અકાઉન્ટ બનાવી કે ઓટોમેટેડ સોફ્ટવેરથી ટિકિટ બુકિંગમાં ગડબડ કરતા હતા. આને રોકવા માટે IRCTCએ આ સમયગાળો માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સ માટે રાખ્યો છે. જે લોકોનું આધાર લિંક નથી, તેઓ સવારના 8 થી 10 સિવાયના સમયમાં ટિકિટ બુક કરી શકશે. આ નવો નિયમ 28 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.

તત્કાલ ટિકિટ માટે પહેલાથી જ આધાર ફરજિયાત

આ પહેલાં પણ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ફરજિયાત બનાવ્યું હતું. 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ માટે આધાર જરૂરી છે અને 15 જુલાઈ 2025થી ઑનલાઇન, એજન્ટ કે PRS કાઉન્ટર – તમામ માધ્યમમાં OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આધાર વેરિફિકેશન કેવી રીતે કરવું

જો તમે હજી સુધી આધાર વેરિફાઈ કર્યું નથી, તો આ પ્રક્રિયા ખૂબ સરળ છે અને માત્ર થોડા જ મિનિટોમાં પૂર્ણ થઈ જાય છે:

  • www.irctc.co.in પર જઈને લોગિન કરો.
  • My Profile વિભાગમાં જઈ User Verification વિકલ્પ પસંદ કરો.
  • તમારો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID દાખલ કરો અને Verify Details પર ક્લિક કરો.
  • આધાર સાથે જોડાયેલા મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
  • વેરિફિકેશન પૂર્ણ થયા પછી તમે સવારના 8 થી 10 વાગ્યા સહિત કોઈપણ સમયે ટિકિટ બુક કરી શકશો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

આ નવો નિયમ માત્ર ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે લાગુ પડે છે. PRS કાઉન્ટર પર ટિકિટ લેવા માટેના નિયમોમાં કોઈ ફેરફાર નથી. હવે જે લોકો સવારના સમયગાળામાં ટિકિટ બુક કરવા માંગે છે, તેમને પહેલેથી આધાર વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે, જેથી બુકિંગ સમયે ટ્રાન્ઝેક્શન ફેઇલ જેવી સમસ્યા ન આવે.

રેલવેનો આ ફેરફાર ટિકિટ બુકિંગને વધુ સુરક્ષિત, પારદર્શક અને સાચા મુસાફરો માટે સરળ બનાવવા માટેના પ્રયાસનો એક ભાગ છે.

Indian Railways : ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ આપે છે, જાણો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">