બાબા સાહેબ આંબેડકર યાત્રા માટે IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ, જાણો રૂટ અને કિંમત

દેખો અપના દેશ અંતર્ગત, IRCTC બાબા સાહેબ આંબેડકર યાત્રા પ્રવાસ પેકેજ લઈને આવ્યું છે. જેમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓ બતાવવામાં આવશે. આ ટૂર પેકેજ હેઠળ તમને ગયા, નાગપુર, સાંચી, વારાણસી સહિતના ઘણા શહેરોની મુલાકાત લેવાની તક મળશે.

બાબા સાહેબ આંબેડકર યાત્રા માટે IRCTC લાવ્યું સસ્તું ટૂર પેકેજ, જાણો રૂટ અને કિંમત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 2:51 PM

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC)એ દેખો અપના દેશ હેઠળ બાબા સાહેબ આંબેડકર યાત્રા પ્રવાસ પેકેજ લાવ્યું છે. જેમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવન સાથે જોડાયેલી મુખ્ય જગ્યાઓ બતાવવામાં આવશે. બાબા સાહેબ આંબેડકર યાત્રાની પ્રથમ યાત્રા 14 એપ્રિલ 2023ના રોજ નવી દિલ્હીથી શરૂ થશે.7 રાત અને 8 દિવસનું આ ટૂર પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા શરૂ થશે અને તેનું પ્રથમ સ્ટોપ મધ્ય પ્રદેશમાં ડો. આંબેડકર નગર (મહુ) છે, જે બાબા સાહેબની જન્મભૂમિ (ભીમ જન્મભૂમિ) છે.

ત્યારબાદ આ ટ્રેન નાગપુર રેલ્વે સ્ટેશન જશે જ્યાં પ્રવાસીઓ નવયાન બૌદ્ધ ધર્મના પવિત્ર સ્મારક દીક્ષાભૂમિની મુલાકાત લેવા આગળ જશો. ત્યારપછી ટ્રેન નાગપુરથી સાંચી માટે રવાના થશે. જેમાં સાંચીના સ્તૂપ અને અન્ય બૌદ્ધ સ્થળોને સાંચીના જોવાલાયક સ્થળોમાં સામેલ કરવામાં આવ્યા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

યાત્રા નવી દિલ્હીમાં પૂરી થશે

સાંચી પછી વારાણસી આગામી સ્થળ હશે જ્યાં સારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ સામેલ છે. આગલું અને છેલ્લું સ્થળ ગયા છે. ત્યાં પ્રવાસીઓને પ્રસિદ્ધ મહાબોધિ મંદિર અને અન્ય મઠોની મુલાકાત લેવા બોધ ગયાના પવિત્ર સ્થળ પર લઈ જવામાં આવશે. રાજગીર અને નાલંદાના અન્ય મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળોને પણ આવરી લેવામાં આવશે. આ યાત્રા  નવી દિલ્હીમાં પૂરી થશે. પ્રવાસીઓ પાસે દિલ્હી, મથુરા અને આગ્રા કેન્ટ સ્ટેશનો પર ટ્રેનમાં ચઢવા/ઉતરવાનો વિકલ્પ હશે.

IRCTC દ્વારા બહાર પાડવામાં આવેલા બાબાસાહેબ આંબેડકર યાત્રાનો હેતુ આંબેડકરના જીવન સાથે સંકળાયેલા સ્થળો અને સીમાચિહ્નોને પ્રકાશિત કરવાનો છે. આ પ્રવાસ પેકેજ સંબંધિત અન્ય માહિતી IRCTC વેબસાઇટ irctctourism.com પર ઉપલબ્ધ છે.

ડો. બાબા સાહેબ આંબેડકર, જેને પ્રેમથી બાબા સાહેબ કહેવામાં આવે છે, તે ભારતીય બંધારણના મુખ્ય નિર્માતા હતા. આ ઉપરાંત તેઓ પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી, રાજકીય કાર્યકર્તા, માનવશાસ્ત્રી, લેખક, વક્તા, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી અને વિદ્વાન પણ હતા. આંબેડકર અસ્પૃશ્યતા જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવા માટે તેમના જીવનભર લડ્યા અને સામાજિક રીતે પછાત વર્ગોના અધિકારો માટે ઉભા થયા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">