AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : એવા કયા પાસ છે જે બનાવ્યા પછી તમારે ટ્રેનમાં ઓછું ભાડું ચૂકવવું પડે? જાણો

રેલવે દ્વારા કેટલીક કેટેગરીમાં લોકોને ટ્રેનમાં છુટ મળે છે. જો તમે આ કેટેગરીમાં આવો છે અને તમારી પાસે રેલવેનો પાસ છે. તો તમે ઓછા પૈસામાં ટ્રેનમાં મુસાફરી કરી શકશો. ચાલો વિસ્તારથી જાણીએ.

Indian Railway  : એવા કયા પાસ છે જે બનાવ્યા પછી તમારે ટ્રેનમાં ઓછું ભાડું ચૂકવવું પડે? જાણો
Image Credit source: AI
| Updated on: Jun 30, 2026 | 11:41 AM
Share

શું તમે જાણો છો ભારતીય રેલવે દ્વારા કેટલાક લોકોને ભાડામાં છુટછાટ આપવામાં આવે છે. પહેલા રેલવે દ્વારા આ કેટેગરીમાં લોકોને છુટ મળતી હતી પરંતુ હવે માત્ર કેટલાક લોકોને જ આ કેટેગરીમાં છુટછાટ આપવામાં આવે છે. રેલવે દ્વારા તમામ દિવ્યાંગને 4 કેટેગરી, 11 કેટેગરીના દર્દીઓ અને 8 કેટેગરીના વિદ્યાર્થીઓને છુટછાટ આપવામાં આવે છે.

જો તમે પણ આ કેટેગરીમાં આવો છો. તો તમને ભાડામાં કેટલીક છુટછાટ મળશે. જેના માટે પહેલા તમારે પાસ બનાવવો પડશે. તો ચાલો જાણીએ આ પાસ કેવી રીતે બને છે અને કઈ કઈ છુટ મળે છે.

ક્યા કયા લોકોને છુટ મળે છે?

રેલવે પ્રવેશ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આવવા-જવા માટે છુટ આપવામાં આવે છે. આ સાથે એજ્યુકેશન ટુર, રિસર્ચ વર્ક તેમજ આની સાથે જોડાયેલા વિદ્યાર્થીોને છુટ આપવામાં આવે છે.દૃષ્ટિહીન વ્યક્તિઓ, ઓર્થોપેડિકલી વિકલાંગ, કેન્સરના દર્દીઓ, ટીબીના દર્દીઓ, કિડની રોડ, બિન-ચેપી રક્તપિત્ત, થેલેસેમિયાના દર્દીઓ વગેરેને મુક્તિ આપવામાં આવી છે.

છુટની શરત શું છે?

રેલવે બેસિક ભાડા પર છુટ આપે છે. આ સિવાય છુટ 300 કિલોમીટર કે તેનાથી વધારેની મુસાફરી માટે લાગુ થશે. પરંતુ કેટલીક કેટેગરીમાં 300 કિલોમીટરની શરત લાગુ થતી નથી. નિયમો અનુસાર, પરીક્ષા કેન્દ્રો પર જનારા અને આવનારા વિદ્યાર્થીઓ, હોસ્પિટલોમાં જનારા અને આવનારા કેન્સરના દર્દીઓ વગેરે જેવા ચોક્કસ હેતુ માટે જાહેર કરાયેલી રાહત ટિકિટોના કિસ્સામાં, મુસાફરી દરમિયાન વચ્ચેથી મુસાફરી કરવાની મંજૂરી નથી.

ભાડામાં છુટ સીઝન ટિકિટ,સર્કુલર જર્ની ટિકિટ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, વંદેભારત,ગરીબ રથ,વિશેષ ટ્રેન , હમસફર એક્સપ્રેસ ટ્રેન વગેરેમાં નથી. પરંતુ કેટલીક કેટેગરીમાં આ ટ્રેનમાં છુટ મળે છે. બધી ભાડા છૂટ ફક્ત રેલ્વે સ્ટેશનો, રિઝર્વેશન ઓફિસો અથવા બુકિંગ ઓફિસ કાઉન્ટર પર જ આપવામાં આવશે. જો કે, જે દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનો પાસ બનાવી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે.

જો કોઈ વ્યક્તિ ટિકિટ વિના, અથવા યોગ્ય ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરે છે, અથવા રાહત ટિકિટ પર મુસાફરી કરે છે, અથવા રાહત ટિકિટને ઉચ્ચ વર્ગમાં રૂપાંતરિત કરે છે. તો તેને ટ્રેનમાં કોઈ પણ પ્રકારની છુટ આપવામાં આવશે નહી.જો દિવ્યાંગજન કેટેગરીમાં પાસ બનાવવા છે. તો આના માટે રેલવેની એક વેબસાઈટ છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">