AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ખેલાડીઓની નજર બીજા ગોલ્ડ મેડલ પર

India Womens squad, Asian Games 2026 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી શકી નથી. પરંતુ હવે પસંદગીકર્તાએ એક મોટો નિર્ણય લઈ એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી છે. એશિયન ગેમ્સ જાપાનના નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોમ્બર સુધી રમાશે.

Breaking News : એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,  ખેલાડીઓની નજર બીજા ગોલ્ડ મેડલ પર
| Updated on: Jun 30, 2026 | 11:38 AM
Share

India Womens squad, Asian Games 2026 : એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. પંસદગીકર્તાએ એક મોટો નિર્ણય લઈ મહિલા ટી20 વર્લ્ડકપમાં રમનારી વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી બહાર કરી છે. રસપ્રદ વાત એ છે કે, ટીમની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે. તો વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના છે. ટી20 વર્લ્ડકપ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલી ઓલરાઉન્ડર શ્રેયંકા પાટિલની પણ ટીમમાં પસંદગી થઈ છે. પરંતુ જો તે ફિટ થશે તો જ આ ટૂર્નામેન્ટમાં રમી શકશે. શ્રેયંકા પાટિલ મહિલા ટી20 વર્લ્ડકપ દરમિયાન પગમાં ઈજા થઈ હતી.

એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ધોષ, જી કમલિની, ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર,ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી,શ્રેયંકા પાટિલ ,રાધા યાદવ અને નંદિની શર્મા

View this post on Instagram

યાસ્તિકા ભાટિયાને ટીમમાંથી કેમ બહાર કરાઈ?

હવે સવાલ એ છે કે, યાસ્તિકા ભાટિયાને ટીમ ઈન્ડિયામાંથી બહાર કેમ કરવામાં આવી છે. આનું એક મોટું કારણ તેનું પ્રદર્શન છે. આ ખેલાડી ટી20 વર્લ્ડકપમાં 3 મેચમાં માત્ર 41 રન બનાવી શકી હતી. તેની સરેરાશ 13.66 અને સ્ટ્રાઈક રેટ 117.14 રહ્યો હતો. પરંતુ જેમિમા રોડ્રિગ્સનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતુ. તે પાંચ મેચમાં 92 રન જ બનાવી શકી હતી. પરંતુ એશિયન ગેમ્સની ટીમ ઈન્ડિયામાં રાખવામાં આવી છે.

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ યથાવત

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ટી20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન છતાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ યથાવત રાખી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો

તમને જણાવી દઈએ કે, 2023માં હાંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી 116 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ટીમ જવાબમાં 97 રન જ બનાવી શકી હતી. આ ટૂર્નામેન્ટમાં જેમિમાહે સૌથી વધારે 109 રન બનાવ્યા હતા.

ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.  અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
સુરતમાં ભારે વરસાદને પગલે શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
આજનો દિવસ મનોરંજન અને આર્થિક સમૃદ્ધિથી ભરપૂર, ઓફિસમાં મળશે નવી ઓળખ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
ખેડૂતોને 12 કલાક વીજળી આપો, પશુપાલકોને ઘાસચારો આપો: કોંગ્રેસ
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
g clip-path="url(#clip0_868_265)">