AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effect of Curd : આ લોકોએ દહીં ન ખાવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે, દહી ખાવું કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે.

Side Effect of Curd : આ લોકોએ દહીં ન ખાવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
Side Effect of Curd
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 1:26 PM
Share

Side Effect of Curd : દહીં સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં પ્રોબાયોટિક્સ છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. આ સિવાય તે ત્વચા માટે પણ ફાયદાકારક (Benefits) છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારના ઘરેલુ ઉપચારમાં થાય છે. તે ત્વચાને મોઈશ્ચરાઈઝ (Moisturize) અને મુલાયમ કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે કયા લોકોએ દહીંનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

સંધિવાની સમસ્યાઓ

જો દહીં ( Curd)નો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે કોલેસ્ટ્રોલ અને હાઈ બીપીની સમસ્યા ઘટાડે છે. પરંતુ તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક લોકો માટે દહીંનું સેવન નુકસાનકારક છે.

આર્થ્રાઇટિસના દર્દી

દહીંનું સેવન હાડકાં અને દાંત માટે સારું છે. કારણ કે તે કેલ્શિયમથી ભરપૂર છે. જો આર્થ્રાઇટિસના દર્દી દહીંનું સેવન કરે છે તો દુખાવાની સમસ્યા વધુ વધી શકે છે.

અસ્થમાના દર્દીઓ

અસ્થમાના દર્દીઓ માટે દહીં હાનિકારક છે. તેને ખાવાથી શ્વાસ સંબંધિત તકલીફ વધી શકે છે. જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે દહીં ખાવાનું ટાળવું જોઈએ. જો તમે દહીં ખાવા માંગો છો, તો તમે તેને દિવસના સમયે ખાઈ શકો છો, રાત્રે તેને ખાશો નહીં. તેમાં ખાટા અને મીઠાશને કારણે, મ્યૂક્સને પ્રોત્સાહન મળે છે. જે કફ વધારે છે.

લેક્ટોઝ (lactose intolerance)

જો તમે Lactose Intolerance ના દર્દી છો તો દહીંનું સેવન ટાળવું જોઈએ. આવા લોકોને દૂધ અને દહીં પચતું નથી. જો તમે દહીંનું સેવન કરો છો તો ઝાડા અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

એસિડિટીની સમસ્યા

જો તમને એસિડિટીની સમસ્યા હોય તો દહીંનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને રાત્રે દહીં ન ખાઓ. અડદની દાળ દહીં સાથે ન ખાવું. આ બે વસ્તુઓ એક સાથે ન ખાઓ. આમ કરવાથી અપચોની સમસ્યા વધી શકે છે.

દહીં (Curd) ખાવાના ભલે ઘણા ફાયદા છે, પરંતુ તમારી ભૂલોના કારણે આ ફાયદા નુકસાનમાં પણ પરિણમે છે. તમને જણાવી દઈએ કે મોટાભાગના લોકોને દહીં ખાવાની સાચી રીત નથી ખબર હોતી. ક્યારે શેની સાથે અને કેટલી માત્રામાં દહીં ખાવું તે જાણવું ખુબ જરૂરી છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Raksha Bandhan 2021 : રક્ષાબંધન સ્પેશિયલ ઘરે બનાવો શક્કરપારા

આ પણ વાંચો : World Youth Archery Championship: તીરંદાજો 9 ગોલ્ડ સહિત 15 મેડલ જીત્યા, PM મોદીએ વખાણ કર્યા

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">